મુખ્ય સામગ્રી પર જાઓ

આ દવાથી કોરોનાના દર્દી માત્ર 10 દિવસમાં સાજા થઈ જાય છે, એક ડોઝની કિંમત 59,300 રૂપિયા

<p>અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાા દર્દીઓને સાજા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મોનોક્લોનોલ એન્ટીબોડી કોકટેલ જુન મહિનાના પ્રથમ પખવાડિયામાં સમગ્ર ગુજરાત સહિત ભારતમાં ઉપલબ્ધ થશે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ કોકટેલ શરીરમાં એન્ટીબોડિઝ જનરેટ કરે છે. આ એન્ટીબોડી કોરોનાના વાયરસનો પ્રતિકાર કરે છે.</p> <p>કોરોનાનો ચેપ લાગ્યાના દસ દિવસમાં જ દર્દીને કોરોનાની અસરમાંથી મુક્ત કરી દેતી હોવાનું જોવા મળ્યું છે. ભારતમાં સિપ્લા અને રોશ કંપનીએ આ દવા લોંચ કરી છે. મધ્યમથી માંડીને થોડા તિવ્ર કોરોનાના ચેપના દર્દીને આ ઈંજેક્શન આપવામાં આવે છે. તેના એક ડોઝની કિંમત 59 હજાર 300 રૂપિયાની આસપાસ છે. એકથી વધુ ડોઝનું પેકેટ એક લાખ 19 હજારમાં મળી શકે છે. તેનાથી બે દર્દીઓને સારવાર આપી શકાય છે.</p> <p>જુનના પ્રથમ અઠવાડિયાથી ગુજરાતના સહિત દેશના દરેક રાજ્યમાં આ ઈંજેક્શન મળતુ થઈ જશે. જો માત્ર સરકાર જ તેના વિતરણની જવાબદારી લેશે તો સરકારી પ્રશાસન મારફતે આ ઈંજેક્શન દર્દીઓને મળી શકશે. મોનોક્લોનોલ એન્ટી બોડિઝ કોકટેલના સારા પરિણામો અમેરિકા અને યુરોપના દેશોમાં જોવા મળ્યા છે.</p> <p>વડોદરા અને રાજકોટમાં પણ ત્રણેક દર્દીઓને આ દવા આપીને સાજા કરવામાં આવ્યા છે. હવે તમામ દર્દીઓ માટે આ ઈંજેક્શન ઉપયોગમાં લેવામાં આવશે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિની રોગના વિષાણુઓ સામે લડવાની ક્ષમતાનું અનુકરણ કરીને વાયરસનો સામનો કરી શકે છે.</p> <p>વાયરસ ઉપરાંત અન્ય નુકસાનકારક બેક્ટેરિયાનો પણ તે પ્રતિકાર કરી શકે છે. કોસિરવિમેબ અને ઈમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલ આ ઈંજેક્શન દર્દીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરા કોશમાં કોરોના વાયરસ પ્રવેશ થતા અટકાવી દે છે.</p> <p>નોંધનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ એન્ટિબોડી કોકટેલ આપવામાં આવી હતી. કોરોનાનો ચેપ લાગ્યાના પહેલા સાત દિવસમાં મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેઈલ આપવામાં આવે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી નથી. આ દવા આપવાથી 80 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવાની ફરજ પડતી નથી.</p> <p>કાસિરવિમેબ અને ઇમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલી દવા દર્દીના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરમાંના કોશમાં કોરોનાના વાઈરસને એન્ટર થતાં અટકાવી દે છે. કોરોનાના વાઈરસ સામે તથા બીજા વેવમાં જોવા મળેલા વાઈરસ બી 1.617 સામે પણ આ દવા ખાસ્સી અસરકારક હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું છે.</p>

from gujarat https://ift.tt/3fwHsFE

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...