મુખ્ય સામગ્રી પર જાઓ

આ દવાથી કોરોનાના દર્દી માત્ર 10 દિવસમાં સાજા થઈ જાય છે, એક ડોઝની કિંમત 59,300 રૂપિયા

<p>અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાા દર્દીઓને સાજા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મોનોક્લોનોલ એન્ટીબોડી કોકટેલ જુન મહિનાના પ્રથમ પખવાડિયામાં સમગ્ર ગુજરાત સહિત ભારતમાં ઉપલબ્ધ થશે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ કોકટેલ શરીરમાં એન્ટીબોડિઝ જનરેટ કરે છે. આ એન્ટીબોડી કોરોનાના વાયરસનો પ્રતિકાર કરે છે.</p> <p>કોરોનાનો ચેપ લાગ્યાના દસ દિવસમાં જ દર્દીને કોરોનાની અસરમાંથી મુક્ત કરી દેતી હોવાનું જોવા મળ્યું છે. ભારતમાં સિપ્લા અને રોશ કંપનીએ આ દવા લોંચ કરી છે. મધ્યમથી માંડીને થોડા તિવ્ર કોરોનાના ચેપના દર્દીને આ ઈંજેક્શન આપવામાં આવે છે. તેના એક ડોઝની કિંમત 59 હજાર 300 રૂપિયાની આસપાસ છે. એકથી વધુ ડોઝનું પેકેટ એક લાખ 19 હજારમાં મળી શકે છે. તેનાથી બે દર્દીઓને સારવાર આપી શકાય છે.</p> <p>જુનના પ્રથમ અઠવાડિયાથી ગુજરાતના સહિત દેશના દરેક રાજ્યમાં આ ઈંજેક્શન મળતુ થઈ જશે. જો માત્ર સરકાર જ તેના વિતરણની જવાબદારી લેશે તો સરકારી પ્રશાસન મારફતે આ ઈંજેક્શન દર્દીઓને મળી શકશે. મોનોક્લોનોલ એન્ટી બોડિઝ કોકટેલના સારા પરિણામો અમેરિકા અને યુરોપના દેશોમાં જોવા મળ્યા છે.</p> <p>વડોદરા અને રાજકોટમાં પણ ત્રણેક દર્દીઓને આ દવા આપીને સાજા કરવામાં આવ્યા છે. હવે તમામ દર્દીઓ માટે આ ઈંજેક્શન ઉપયોગમાં લેવામાં આવશે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિની રોગના વિષાણુઓ સામે લડવાની ક્ષમતાનું અનુકરણ કરીને વાયરસનો સામનો કરી શકે છે.</p> <p>વાયરસ ઉપરાંત અન્ય નુકસાનકારક બેક્ટેરિયાનો પણ તે પ્રતિકાર કરી શકે છે. કોસિરવિમેબ અને ઈમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલ આ ઈંજેક્શન દર્દીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરા કોશમાં કોરોના વાયરસ પ્રવેશ થતા અટકાવી દે છે.</p> <p>નોંધનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ એન્ટિબોડી કોકટેલ આપવામાં આવી હતી. કોરોનાનો ચેપ લાગ્યાના પહેલા સાત દિવસમાં મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેઈલ આપવામાં આવે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી નથી. આ દવા આપવાથી 80 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવાની ફરજ પડતી નથી.</p> <p>કાસિરવિમેબ અને ઇમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલી દવા દર્દીના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરમાંના કોશમાં કોરોનાના વાઈરસને એન્ટર થતાં અટકાવી દે છે. કોરોનાના વાઈરસ સામે તથા બીજા વેવમાં જોવા મળેલા વાઈરસ બી 1.617 સામે પણ આ દવા ખાસ્સી અસરકારક હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું છે.</p>

from gujarat https://ift.tt/3fwHsFE

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...