મુખ્ય સામગ્રી પર જાઓ

મોડર્નાએ પોતાની કોરોના રસીને 12થી 17 વર્ષના બાળકો પર અસરકારક ગણાવી, મંજૂરી માટે કરશે અરજી

<p>વિશ્વભરમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ માગ અનુસાર રસીની સપ્લાઈન નથી થઈ રહી. ત્યારે મોડર્નાએ મંગળવારે કહ્યું કે, તેની કોરોના રસી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો પર પણ અસરકારક અને સુરક્ષિત છે. કંપનીએ કહ્યું કે, 12થી 17 વર્ષના બાળકોમાં કોરોના રસીનું ક્લીનિકલ ટ્રાયલમાં કોઈ નવી કે મોટી સુરક્ષાને લગતી સમસ્યા સામે નથી આવી.</p> <p>અમેરિકા ને કેનેડાએ આ મહિનાની શરૂઆતમાં ફાઈઝર-બાયોએનટેકની રસીને 12 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે મંજૂરી આપી છે. મોડર્નાએ કહ્યું છે કે, તે જૂનની શરૂઆતમાં રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની પાસે અરજી કરશે. જો મોડર્નાની રસીને મંજૂરી મળી જાય તો&nbsp; બાળકો માટે ફાઈઝર-બાયોએનટેક રસી બાદ આ બીજી રસી હશે.</p> <p><strong>ટ્રાયલમાં 12થી 17 વર્ષના 3700થી વધારે બાળકો સામેલ</strong></p> <p>કંપનીએ 3700થી વધારે 12થી 17 વર્ષના બાળકોને ટ્રાયલમાં સામેલ કર્યા. પ્રારંભિક નિષ્કર્ષોથી જાણવા મળ્યું છે કે, રસી બાળકોમાં ઇમ્યૂન પ્રોટેક્શન વયસ્કો જેવા જ સમાન લક્ષણોને ટ્રિગર કર્યા અને તેવી જ રીતે સામાન્ય આડ અસર જેમ કે ગળામાં ખરાશ, માથું દુખવું અને થાક સામે આવ્યા. જે બાળકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા તેમનામાં કોરોનાના લક્ષણ સામે ન આવ્યા. કંપનીએ એ પણ કહ્યું કે, પ્રથમ ડોઝના બે સપ્તાહ બાદ રસી 93 ટકા અસરકારક રહી.</p> <p><strong>કોઈ નવી સેફ્ટી ઇશ્યૂ ન આવે સામે</strong></p> <p>કોવિડ-19થી સંક્રમિત થનાર મોટાભાગના બાળકોમાં માત્ર સામાન્ય લક્ષણ હોય છે અથવા કોઈ લક્ષણ નથી હતો. તેમ છતાં બાળકોને ગંભીર રીતે બીમાર થવાનું જોખમ રહે છે. કંપનીએ કહ્યું કે, સંશોધકોને કોઈ સુરક્ષાને લઈની કોઈ નવી સમસ્યા જોવા નથી મળી. બીજા ડોઝ બાદ કોમન સાઈડ ઇફેક્ટ માથામાં દુઃખાવો, થાક, શરીરમાં દુખાવો, ઠંડી લાગવી છે. નોંધનીય છે કે, અમેરિકામાં મંજૂરી મળ્યા બાદ મોટી સંખ્યામાં બાળકો ફાઈઝરની રસી લઈ રહ્યા છે.</p>

from world https://ift.tt/3flL7pw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...