મુખ્ય સામગ્રી પર જાઓ

આ રાજ્યમાં લોકડાઉન વચ્ચે પાદરીએ 500 લોકોને કર્યા ભેગા, અચાનક પોલીસ ત્રાટકીને......

<p><strong>નવી દિલ્હીઃ</strong> આંધ્રપ્રદેશમાં કોરોનાના વધતાં મામલાને લઈ લોકડાઉન જાહેર કરાયું છે. જે મુજબ પહેલાથી નિર્ધારીત કાર્યક્રમ માટે એમઆરઓની મંજૂરી લઈને 20 લોકો સાથે કોવિડ નિયમોનું પાલન કરીને કાર્યક્રમ યોજી શકાય છે. રાજ્યમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નથી.</p> <p>આ દરમિયાન શ્રીકાકુલમ જિલ્લામાં બે પાદરીએ મળીને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરીને 400-500 લોકોને એકત્ર કરીને ધાર્મિક કાર્યક્રમ કરતાં હતા. આ દરમિયાન અચાનક પોલીસે છાપો માર્યો અને પાદરીઓ પર મામલો નોંધીને તેમને દંડ ફટકાર્યો હતો.</p> <p>સીતમમાપેટ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર હૈમાવતી મુજબ,આ વિસ્તારમાં લોકો ઘરમાં રહે તે માટે રવિવારે જનતા કરફ્યૂ જાહેર કરાયો હતો. તેમ છતાં ઈતમાનગુડ પુટિકાવલસા ગામમાં બે પાદરીએ મળીને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેમાં કોવિડ નિયમોને નેવે મૂકીને 400-500 લોકોને બોલાવાયા હતા. આ લોકોને કેમ બોલાવાયા હતા તેની પણ ખબર નહોતી. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડાવાયા હતા.</p> <p>ઈન્સ્પેક્ટરે કહ્યુ કે, જ્યારે અમે ટીમ સાથે ત્યાં પહોંચ્યા તો દંગ રહી ગય. બે પાદરીએ મળીને આટલા બધા લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. જો આમાંથી કોઈને પણ સંક્રમણ હોય તો તેનો ચેપ સરળતાથી બીજા લોકોને લાગી શકે છે. જે બાદ બંને પાદરીઓને 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમની સામે મામલો નોંધવાનો આદેશ અપાયો હતો.</p> <p>આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે આંધ્રપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,98,023 છે. જ્યારે 14,00,754 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી 10,328 લોકોના મોત થયા છે.</p> <p><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.&nbsp; &nbsp;</p> <ul> <li>કુલ કેસ-&nbsp; બે કરોડ 71 લાખ 57 હજાર 795</li> <li>કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816</li> <li>કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591</li> <li>કુલ મોત - 3 લાખ 11 હજાર 591</li> </ul>

from india https://ift.tt/3oODmfb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...