મુખ્ય સામગ્રી પર જાઓ

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 1 જુલાઈથી વધશે પગાર, જાણો કેટલો ફાયદો થશે

<p>7th Pay Commission: આખરે કેન્દ્રીય કર્મચારીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ખુશખબર આવી ગયા છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી વધવા જઈ રહ્યું . કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સીધા જ 28 ટકા થઈ જશે. આ વધારાનો લાભ તેમને પગારમાં પણ જોવા મળશે.</p> <p>આ ઉપરાંત કર્મચારીઓ માટે સારા સમાચાર એ પણ છે કે તેમને તેમના અટકી પડેલ ત્રણ હપ્તા પણ ચૂકવવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 17 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળે છે જે હવે 11 ટકા વધીને 28 ટકા થઈ જશે તો સ્પષ્ટ છે કે કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થશે.</p> <p>કર્મચારીઓને સીધા જ બે વર્ષના મોંઘવારી ભથ્થા (DA)નો ફાયદો એક સાથે મળવાનો છે. કારણ કે જાન્યુઆરી 2020માં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધ્યું હતું, પછી બીજી વખત જૂન 2020માં 3 ટકા વધ્યું હતું, હવે જાન્યુઆરી 2021માં મોંઘવારી ભથ્થું ફરી એક ખત 4 ટકા વધ્યું છે. એટલે કે કુલ 28 ટકા થઈ ગયું છે. જોકે, આ ત્રણેય હપ્તાની ચૂકવણી હજુ થઈ નથી.</p> <p>નોંધનીય છે કે, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો પે-મેટ્રિક્સ પ્રમાણે ઓછામાં ઓછો પગાર 18000 રૂપિયા છે. તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું જોડાવાવની આશા છે. આ રીતે 2700 રૂપિયા મહિને સીધો પગાર વધી જશે. વાર્ષિક આધારે જોવામાં તો કુલ મોંઘવારી ભથ્થું 32400 રૂપિયા વધશે.</p> <p>જૂન 2021માં મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની છે. સૂત્રો અનુસાર ત્યારે પણ 4 ટકા વધવાનો અંદાજ છે. જો આમ થાય તો 1 જુલાઈના રોજ ત્રણ ભાગમાં ચૂકવમી બાદ આગામી 6 મહિનામાં 4 ટકાની ચૂકવણઈ થશે. મોંઘવારી ભથ્થું કુલ 32 ટકા પહોંચી શકે છે.</p> <p>હાલમાં ડીએ 17 ટકા પ્રમાણે મળે છે. કેન્દ્ર સરકાર તેને દર છ મહિને રિવાઈસ કરે છે. તેની ગણતરી બેસિક પેના આધારે ગણવામાં આવે છે. હાલમાં કર્મચારીઓ અને પેંશનરોને અલગ અલગ ડીએ મળે છે..</p> <p>કોરોનાને કારણે વિતેલા વર્ષે સરકારે 1 જાન્યુઆરી 2020થી 1 જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું ફ્રીઝ કરી દીધું હતું. પેંશનરોની મોંઘવારી રાહત (Dearness relief, DR)ની રકમ પણ 1 જુલાઈ 2021 સુધી નહીં વધે. આ નિર્ણયથી સરકારને નાણાંકીય વર્ષ 2021-22માં કુલ 37000 કરોડ રૂપિયાની બચત થઈ છે. જોકે, કેન્દ્રીય કર્મચારીઓની માગ છે કે તેને 1 જાન્યુઆરી બાદથી એરિયરની ચૂકવણી થવી&nbsp; જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે એરિયરની ચૂકવણી નહીં થાય. જુલાઈ 2021માં DA અને DRને લઈને જે નિર્ણય થશે તેને એક એક કરીને લાગુ કરવામાં આવશે.</p>

from india https://ift.tt/2QWNgyP

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...