મુખ્ય સામગ્રી પર જાઓ

શું મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી થઈ ગઈ ? એક જ જિલ્લામાં 8000 બાળકો કોરોનાની ઝપેટમાં, સરકારે તૈયારીઓ કરી શરૂ

<p>મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોવાનું કહેવાય છે. અહમદનગરમાં માત્ર એક જ મહિનામાં 8000થી વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજ્ય સરકારે ત્રીજી લહેર સામે લડવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નિષ્ણાંતો પહેલા જ કહી ચૂક્યા છે કે કોરોનાની આવનારી ત્રીજી લહેર બાળકો માટે વધારે ખતરનાક હશે. મહારાષ્ટ્રમાં સાંગલી શહેરમાં ખાસ કરીને બાળકો માટે COVID-19 વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં પાંચ બાળકોની સારવાર ચાલી રહી છે અને વધારે દર્દી માટે સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે.</p> <p>કોર્પોરેટર અભિજીત ભોસલેએ કહક્યું કે, &ldquo;અમે બાળકો માટે અહીં કોવિડ વોર્ડ તૈયાર કર્યા છે જેથી જ્યારે ત્રીજી લહેર આવે ત્યારે અમે તૈયાર હોઈએ અને બાળકોને એવું નહીં લાગે કે તે હોસ્પિટલમાં છે, પરંતુ તેમને લાગશે કે તે સ્કૂલ કે નર્સરીમાં છે.&rdquo;</p> <p>આ જ મહિને અહમદનગરમાં ઓછામાં આછો 8000 બાળકો કરોનાની ઝપેટમાં આવતા અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. આ જિલ્લાના લગભગ 10 ટકા કેસ છે.</p> <p>જિલ્લા પ્રશાસ ત્રીજી લહેરની તૈયારી માટે બાળ રોગ નિષ્ણાતોંની સલાહ લઈ રહ્યું છે. અહમદનગરના જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર ભોસલેએ કહ્યું, &ldquo;એકલા મેમાં 8000 બાળકો પોઝિટિવ આવ્યા. આ ચિંતાજનક છે.&rdquo;</p> <p>ધારાસભ્ય સંગ્રામ જગતાપે કહ્યું, &ldquo;બીજી લહેર દમરિયાન બેડ અને ઓક્સીજનની અછત હતી. માટે અમે ત્રીજી લહેર દરમિયાન તેનાથી બચવાની જરૂરત છે અને માટે ખુદને પૂરી રીતે તૈયાર કરવાની જરૂરત છે.&rdquo;</p> <p>રાજ્ય સરાકર કોઈ જોખમ લેવા નથી માગતી. તેમણે આશા વ્યક્ત કરી કે જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટની શરૂઆતમાં સંભવિત ત્રીજી લહેર આવી શકે છે, જેથી અધિકારીઓને તૈયારી માટે લગભગ બે મહિનાનો સમય મળશે.</p> <p class="article-title "><a href="https://ift.tt/3wK2iHs Corona cases: રાજ્યમાં 2 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, &nbsp;5 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત</a></p> <p class="article-title "><a href="https://gujarati.abplive.com/news/gujarat/after-corona-now-the-risk-of-mis-c-disease-has-increased-in-children-729016">કોરોના બાદ હવે બાળકોમાં MIS-C રોગનો ખતરો વધ્યો, જાણો શું છે લક્ષણ અને શું સાવચેતી રાખશો ?</a></p>

from india https://ift.tt/3c5oLGQ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...