મુખ્ય સામગ્રી પર જાઓ

Ahmedadad: બે બિઝનેસમેન શરીર સુખ માણવા પ્રેમિકાઓને લઈને આબુ ગયા, એકના પ્રેમિકા સાથેના ફોટા મૂકાયા ફેસબુક પર ને......

<p><strong>અમદાવાદઃ</strong> બનાસકાંઠાના થરાદના સણદર અને ડેલ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે મહિના અગાઉ મળેલી લાશને પોલીસે ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલતા કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ વ્યાસની ધરપકડ કરી લીધી છે. ઘટના એવી છે કે, બે મહિના અગાઉ મળેલી લાશનો મળી હતી, જેમાં સોનીનો ધંધો કરનારા ભાગીદારે જ ભાગીદારનું કાસળ કાઢી નાંખ્યું હતુ, થરાદ પોલીસે અત્યારે આ તમામ હત્યારા અને ભાગીદારને ઝડપી પાડ્યા છે.&nbsp;</p> <p>ઘટનાની માહિતી એવી છે કે, થરાદ પાસે નર્મદા કેનાલમાંથી 13 માર્ચના રોજ અમદાવાદના રહેવાસી યસ પ્રજાપતિની લાશ મળી આવી હતી. આ કેસમાં થરાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, અને જાણવા મળ્યુ હતુ કે ભાગીદારે જ ભાગીદારની હત્યા કરી કરી છે. આમાં મૂળ દિયોદરના વતની કૌશિકભાઇ રામસ્વરૂપ સોની હાલ અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહે છે. જે સોના-ચાંદી તેમજ એમસીએકસનો ધંધો કરતો હતો, અને તેની બાદમાં ઓળખાણ મૃતક યસ પ્રજાપતિ સાથે થઇ હતી, બન્નેએ પછીથી સાથે સોના-ચાંદીના ધંધાના ભાગીદારી કરી અને ધંધો ચાલુ કર્યો હતો. જોકે, આ દરમિયાન કૌશિક સોની અને યસ પ્રજાપતિ પોતાની પ્રેમિકાઓ સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા, અહીં તેમને રંગરેલિયા મનાવ્યા હતા, બાદમાં કૌશિક સોનીના પ્રેમિકા સાથેના અહીંના તમામ ફોટા સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા હતા. કૌશિક સોનીની આ તસવીરો પોતાના ભાગીદાર યશ પ્રજાપતિએ વાયરલ કરી હોવાની શંકા કૌશિકની ગઇ, જેને જેના કારણે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.&nbsp;</p> <p>બન્નેનો ઝઘડો થયા બાદ બન્નેને ધંધામાં પણ નુકશાન થયુ અને છેવટે બન્નેએ સોના-ચાંદીની દુકાન બંધ કરી દીધી, અને ચાંદીનો ભાગ પાડવા બાબતે ફરી એકવાર બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ દરમિયાન કૌશિક સોની અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચીટીંગના ગુનામાં પણ પકડાઇ ગયો હતો, અને સાત મહિના જેલમાં પણ રહી આવ્યો હતો. આ બધાથી તેને મોટી નુકશાન થયુ હતુ. આ તમામ બાબતોમાં કૌશિક &nbsp;યસ પ્રજાપતિનો હોવાનુ માની રહ્યો હતો, અને તેને બદલો લેવાનુ નક્કી કર્યુ હતુ. પછી કૌશિક સોનીએ તેના મિત્ર દિવ્યેશ વ્યાસની મદદથી યસ પ્રજાપતિને વિશ્વાસમાં લીધો અને સમજાવી-ફોસલાવી સમાધાન કર્યુ હતુ. કૌશિક જાણતો હતો કે યસ પ્રજાપતિ પર રાજકોટમાં ચીટીંગની અરજીઓ ચાલી રહી છે, આનો લાભ લઇને કૌશિક સોનીએ યસને પોલીસની બીક બતાવી તેની પાસેથી પૈસા પડાવવાનુ નક્કી કર્યુ. આ પ્લાનમાં કૌશક સોનીએ તેના બે મિત્રો ભરતભાઇ વખતરામભાઇ વ્યાસ અને હિરેન ઠાકોરને પોલીસ બનાવી યસને ડરાવવા સામેલ કર્યા હતા. પ્લાન મુજબ દિવ્યેશ પટેલ યસ પ્રજાપતિને તેની હોન્ડા સિટી ગાડીમાં લઇને ચાણસ્મા ખાતે લઇ આવ્યો અહીં ગાડી ઉભી રખાવી ભરત તથા હિરેને પોલીસ તરીકેનો ડર બતાવીને યસ પ્રજાપતિને ગાડીમાં બેસાડીને લઇ ગયાં, આ સમયે કૌશિક સોની પણ સાથે ગાડીમાં બેઠેલો હતો. યસ પ્રજાપતિનુ અપહરણ કરી દિયોદર કૌશિકના ખેતરમાં લાવ્યા હતા, અને દિવ્યેશ પટેલ પણ પાછળથી આવ્યો હતો.&nbsp;</p> <p>આ ચારેય આરોપીઓએ ભેગા થઇને યસ પ્રજાપતિને ઓરડીમાં પુરી રાખી દીધો અને ગડદાપાટુનો કરવા લાગ્યા હતા. કૌશિકે બદલો લેવા માટે તેની પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી, યસ પ્રજાપતિએ પોતાના પિતાજી પાસે પચાસ હજારનુ આંગડીયુ દિયોદર કરાવ્યું હતું, અને પાંચ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યા. યસ પ્રજાપતિ પાસે વધુ રોકડ ન હોઇ તેની ગાડીનો વેચાણ લેખ બધાએ ભેગા મળી બળજબરીપૂર્વક ભરત વ્યાસના નામે કરાવ્યો હતો.&nbsp;</p> <p>જોકે, આટલુ કર્યા બાદ આરોપીઓએ વિચાર્યુ કે જો યસ પ્રજાપતિને છોડી દેવામાં આવશે, તો તે બધા ઉપર ફરીયાદ કરશે, ડરના કારણે આરોપીઓએ યસ પ્રજાપતિનુ અપહરણ કરી ત્રણ દિવસ પુરી રાખ્યો, અને એક દિવસ રાતના બે વાગ્યે ચારેયએ કેનાલ ઉપર જઇ યસ પ્રજાપતિને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરીને ભાગી ગયા હતા. જોકે, બાદમાં યસ પ્રજાપતિની લાશ કેનાલમાંથી મળતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, અને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ વ્યાસની ધરપકડ કરી હતી.&nbsp;</p>

from gujarat https://ift.tt/3vDzL67

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...