મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રધાનમંત્રીની ‘નૌટંકી’ને કારણે જ કોરોના વાયરસની બીજી લહેર આવી : રાહુલ ગાંધીનો દાવો

<p>દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશનને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યાછે. અત્યારસુધી દેશમાં માત્ર ત્રણ ટકા લોકોને જ રસી અપાઈ હોવાનો રાહુલે દાવો કર્યો છે. આ ગતિથી રસીકરણ ચાલતુ રહેશે તો, 2024 સુધીમાં બધાને રસી આપી શકાશે. કેન્દ્ર સરકારની કામ કરવાની નીતિથી લાખો લોકોના મોત થયાનો પણ રાહુલે આરોપ લગાવ્યો. વેક્સિનને કોરોનાનો કાયમી ઈલાજ ગણાવતા રાહુલે કહ્યું, આ વાયરસ વારંવાર પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે.</p> <p>રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બીજી લહેર માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, &ldquo;સરકાર અને પ્રધાનમંત્રી આજ સુધી કોરોનાને સમજી શક્યા નથી, કોરોના માત્ર એક બીમારી નથી. તમે તેને જેટલો સમય અને જગ્યા આપશો તે એટલું જ ખતરનાક બનતું જશે. આ બીજી લહેર પ્રધાનમંત્રીની જવાબદારી છે, પ્રધાનમંત્રીએ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી પૂરી ન કરી તેના કારણે બીજી લહેર આવી છે.&rdquo;</p> <p>રાહુલ ગાંધીએ આગળ કહ્યું, &ldquo;જો આ રીતે જ રસીકરણ ચાલતું રહેશે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર આવશે. આપણો મૃત્યુદર ખોટો છે અને સરકાર આ ખોટાને ફેલાવી રહી છે. સરકારે સમજવું જોઈએ કે વિપક્ષ તેનો દુશ્મન નથી, વિપક્ષ તેને રસ્તો બતાવી રહ્યા છે.&rdquo;</p> <p><strong>પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીની મુખ્ય વાતો</strong></p> <ul> <li>રસીકરણ જ કોરોનાનું કાયમી સમાધાન છે. લોકડાઉન, માસ્ક, સામાજિક અંદર કામચલાઉમ સમાધાન છે. રસીકરણ નીતિમાં ફેરફાર ન કર્યો તો એક નહીં વારંવાર લોકો મરશે, નવી લહેર આવતી રહેશે.</li> <li>આજે 97 ટકા લોકોને કોરોના થઈ શકે છે. દરવાજા ખુલા છે. અમેરિકાએ અડધી જનસંખ્યાને રસી આપી દીધી, આપણે રસીની રાજધાની છીએ પણ સ્થિતિ ખરાબ છે.</li> <li>મેં અને અનેક લોકોએ સરકારને કોરોનાને લઈને ચેતવ્યા, પરંતુ સરકારે અમારી મજાક ઉડાવી. પીએમએ કોરોના પર જીતની જાહેરાત કરી દીધી હતી.</li> <li>કોરોના માત્ર એક બીમારી નથી, બદલાતી બીમારી છે. જેટલો સમય અને જગ્યા તેને આપીશું તે એટલી જ ખતરનાક બનતી જશે. મેં ફેબ્રુઆરીમાં જ કહ્યું કે કોરોનાને જગ્યા ન આપો. કહેવાય છે કે, હું લોકોને ડરાવું છું. હું લોકોને ડરાવતો નથી પણ મને લોકોની ચિંતા છે.</li> <li>આપણે નસીબવાળા છીએ કે બીજી બીમારી પણ કોરોના વાયરસ જેવી જ છે, આગામી બીમારી કોઈ અન્ય રૂપ લઈ શકે છે. રસીકરણની સંખ્યા વધારવી પડશે. જો એમ નહીં થાય તો હાલના 3 ટકાના દરે રસીકરણમાં આગામી લહેર આવવાનું નક્કી છે.</li> </ul>

from india https://ift.tt/2RPN0lq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...