મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં રસીકરણમાં પોલંપોલ, મૃત્યુ પામેલ લોકોને કોરોના રસી આપ્યાનું સર્ટિફિકેટ આપી દીધું

<p>રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય વિભાગની બેદરકારી કે કૌભાંડ અંગેનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉપલેટામાં રહેતા 55 વર્ષના વૃદ્ધ હરદાસભાઈ કરંગીયાનું 2018માં અવસાન થયું હતું. પરંતુ તેના નામે જ કોરોનાનો પ્રથમ ડોઝ લીધાનો મેસેજ ફોનમાં આવતા તેમાંથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. જેથી પરિવારે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.</p> <p>હરદાસભાઈનું 20 ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું. પરંતુ ઉપલેટાના સુરજવાડી ખાતે ચાલતા વેક્સિનેશન કેન્દ્ર પર તેના નામે કોઇએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાવ્યાનું સિર્ટિફિકેટ ઘરે આવતા પરિવાર પણ આશ્ચર્યચકિત બની ગયો હતો. પરિવારના સભ્યોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, અમારા સ્વજનનું અવસાન તો ત્રણ વર્ષ પહેલા થઈ ગયું છે. છતાં કંઇ રીતે આ વેક્સિન આપવામાં આવી. અમારા સ્વજનના નામની વેક્સિન કોઇને આપવામાં આવી કે પછી તેમાં પણ કાળાબજારી થઇ છે. આ ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ ? આ અંગે ઊંડાણપૂર્વ તપાસ કરવા પરિવારે માગ કરી છે.</p> <p>રસીકરણમાં પોલંપોલનો વધુ એક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. જેમાં 10 વર્ષ અગાઉ મૃત્યુ પામેલા વ્યક્તિને રસી આપી હોવાનું સર્ટિફિકેટ આરોગ્ય વિભાગે આપી દીધું. દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા નરેશકુમાર દેસાઈના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો. &nbsp;આ મેસેજ તેમના પિતા નટવરભાઈને કોરોનાની રસી આપવામાં આવી હોવાનો હતો. પણ ચોંકાવનારી વાત એ છે કે 10 વર્ષ પહેલા જ તેમના પિતાનું મૃત્યું થયું હતું. આમ મૃત વ્યક્તિને રસી આપવામાં આવી હોવાનો મેસેજ આરોગ્ય વિભાગે મોકલતાં રસીકરણમાં કેવા છબરડાં ચાલી રહ્યા છે તેની વધુ એક પોલ ખુલી છે.</p> <p>પરિવારે માગ કરી કે, આ મામલે તપાસ થવી જોઈએ. રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગ ગોટાળા કરી રહ્યું છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો. જો આખા રાજ્યના રસીકરણના આંકડાઓની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાય નહીં.</p>

from gujarat https://ift.tt/34w65vJ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...