મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના રસીની વર્ષો સુધી રહેશે અસર, બૂસ્ટર ડોઝ દ્વારા વધારી શકાશે એન્ટીબોડી

<p>કોરોનાની બીજી લહેર અને રસીકરણની વચ્ચે વિશ્વમાં એ ચર્ચા ચાલી રહી છે કે રસીની અસર કેટલા સમય સુધી રહેશે. તેના આકલનમાં લાગેલ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, એક વખત રસી લગાવ્યા બાદ વર્ષો સુધી તેના ગંભીર સંક્રમણથી બચી શકાય છે, પરંતુ સંક્રમણથી બચવા માટે એક વર્ષ બાદ એક બૂસ્ટર ડોઝની જરૂરત પડી શકે છે.</p> <p>નેચરમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકોના એક ગ્રુપ કોરોનાના સાત રસીના ક્લિનિકલ ટ્રાયલના આંકડા પર રિસર્ચ કરી રહ્યા છે. જેનો ઉદ્દેશ રસી દ્વારા ઉત્પન્ન થતી રોગપ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી અસરકારક રહે છે તેનું અધ્યયન કરવાનો છે.</p> <p><strong>રિસર્ચમાં શું સામે આવ્યું</strong></p> <ul> <li>રસીકરણના એક વર્ષ બાદ ન્યૂટ્રીલાઈઝિંગ એન્ટીબોડી ઘટવા લાગશે જેના કારણે રસીને એક બૂસ્ટર ડોઝ લેવો જરૂરી હશે જેથી તેને ફરીથી વધારી શકાય. તેનાથી સંક્રમણથી બચી શકાશે.</li> <li>બૂસ્ટર ડોઝ વગર પણ રસી અનેક વર્ષો સુધી કોરોનાના ગંભીર પેચથી બચાવશે. એટલે કે એક વખત રસી લઈ લીધા બાદ લોકોને કોરોનાનો ચેપ લાગશે તો પણ તે સામાન્ય હશે.</li> <li>જો રસી બાદ કોઈ વ્યક્તિમાં ન્યૂટ્રીલાઇઝિંઘ એન્ટીબોડી ઘટી જાય તો તે પણ કોરોના સંક્રમણને રોકવા માટે કારગર હશે.</li> <li>જો કોઈ રસીના અસરકારકતા 50 ટકા છે, તો તે રસી લેનાર લોકોમાં કોરોના કોરોનાથી ઠીક થયેલ વ્યક્તિની તુલનામાં 80 ટકા ઓછી એન્ટીબોડી બને છે. તેમ છતાં તે અમુક હદ સુધી બચાવ કરી શકે છે.</li> </ul> <p><strong>ફાઈઝર-મોડર્નાની રસી ઉત્પન્ન કરે છે વધારે એન્ટીબોડી</strong></p> <p>રિસર્ચના સહ લેખક અને સિડની યૂનિવર્સિટીના માઈક્રોબાયોલોજિસ્ટ જેમ્સ ટ્રાઈક્સનું કહેવું છે કે, ફાઈઝર, મોડર્નાના એમઆરએન રસી વધાર એન્ટીબોડી ઉત્પન્ન કરકે છે. જ્યારે એસ્ટ્રાજેનેકાની રસી ઓછા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. પરંતુ એક વર્ષ બાદ બધામાં ઘટાડો આવશે અને ત્યારે એક વધારાના બૂસ્ટર ડોઝથી તેને વધારી શકાશે.</p> <p><strong>રણનીતિ બનાવવામાં આ રીસર્ચ મહત્ત્વનું</strong></p> <p>રિસર્ચના લેખક ઇમ્પીરિયલ કોલોજ લંડનના ઇમ્યૂનોલોજિસ્ટ ડેનિયલ અલ્ટમેનને કહ્યું કે, આ રીસર્ચ કરોના રસીકરણ અને શરીરના રોગ પ્રતિકારક શક્તિને લઈને ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા માટે મહત્ત્વનું સાબિત થશે. જેમ્સ ટ્રાઈક્સ કહે છે કે, સંશોધકો માટે ક્લિનિકલ ટ્રાયલના આંકડાના આધારા રસીની અસરનું આકલન કરવું મુશ્કેલ નથી. જોકે તેના માટે વધારે ઊંડાણમાં આંકડા મેળવવાની જરૂરત છે.</p> <p><strong>લક્ષણ વગર જ સંક્રમણમાંથી બહાર આવેલ લોકોમાં ઓછા એન્ટીબોડી</strong></p> <p>જાપાનના યોકોહામા સિટી યૂનિવર્સિટીના એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકોને કોરોનાની બીમારી થઈ હતી તેમનામાં એક વર્ષ બાદ પૂરતી એન્ટીબોડી મળી આવેલ છે. પરંતુ જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા પરંતુ તેમનામાં લક્ષણો જોવા ન મળ્યા, તેમનામાં ઓછી એન્ટીબોડી બની છે. માટે સામાન્ય અથવા લક્ષણ વગરના કોરોનામાંથી ઠીક થયા બાદ રસી લેવાની સલાહ આપવામાં આવે છે.</p>

from world https://ift.tt/34aO6uF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...