મુખ્ય સામગ્રી પર જાઓ

બ્રિટિશ વડાપ્રધાનનાં ત્રીજા લગ્ન, એક યુવતી સાથે અફેરથી પણ બન્યા છે પિતા, જાણો બોરિસની પત્નિઓ અને ગર્લફ્રેન્ડ્સ વિશે..........

<p><strong>લંડન:</strong> બ્રિટનના પ્રાઇમ મિનીસ્ટર બોરિસ જૉનસનને લઇને એક ખાસ સમાચાર સામે આવ્યા છે. બોરિસ જૉનસને પોતાની ગર્લફ્રેન્ડ-ફિયાન્સ કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કરી લીધા છે. પીએમ બોરિસ જૉનસનના આ ત્રીજા લગ્ન છે, અને આ લગ્નમાં તેમના અંગત મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યાં હતા, ડાઉનિંગ સ્ટ્રીટમાં આવેલા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે વેસ્ટમિનસ્ટરમાં આવેલા રોમન કેથલિક કેથેડ્રલમાં પીએમ બોરિસ જૉનસને તેમના અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં કેરી સાયમન્સ સાતે લગ્નવિધિ પૂર્ણ કરી હતી.</p> <p>બોરિસ જૉનસન અને કેરી સાયમન્ડ્સનુ આ સરપ્રાઇઝ વેડિંગ હતુ, કેમકે તેમને આગામી જુલાઇ 2022ના દિવસે લગ્ન કરવાનુ નક્કી કર્યુ હતુ. 56 વર્ષી પ્રાઇમ મિનીસ્ટર બોરિસ જૉનસનની પત્ની તેમનાથી 23 વર્ષ નાની છે, એટલે કે કેરી સાયમન્ડ્સ 33 વર્ષની જ છે, જોકે લાંબા સમયથી બન્ને વચ્ચે અફેર ચાલી રહ્યું હતુ, અને બન્ને લગ્ન પહેલા જ એક બાળકને જન્મ આપી દીધો હતો. બન્નેની સગાઇ ગયા વર્ષે ફેબ્રુઆરી 2020માં થઇ હતી, અને બાદમાં એપ્રિલ 2020માં બન્ને એક બાળકના માતાપિતા બન્યા હતા.</p> <p>બોરિસ જૉનસનના આ ત્રીજા લગ્ન છે, બોરિસ જૉનસને કેરી સાયમન્ડ્સ સાથે ત્રીજા લગ્ન કર્યા છે, જ્યારે કેરી સાયમન્ડ્સના આ પ્રથમ લગ્ન જ છે. સૌથી પહેલા બોરિસ જૉનસનના લગ્ન પત્રકાર અને કલાકર અલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે થયા હતા, બન્ને 1987થી 1993 સુધી સાથે રહ્યાં હતા અને બાદમાં છૂટા પડી ગયા હતા. ત્યારબાદ તેમણે 1993માં ભારતીય મૂળની પત્રકાર અને વકીલ મરીના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. જોકે, 2018માં આ યુગલે જાહેરાત કરી હતી કે 25 વર્ષના લગ્નજીવન બાદ તેઓ છૂટાં પડી રહ્યા છે અને 2020માં તેમણે સત્તાવાર છૂટાછેડા લીધા હતા. ખાસ વાત છે કે, વ્હીલર સાથેના સંબંધથી બોરિસને ચાર બાળકો છે, અને તેની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી આર્ટ કન્સલ્ટન્ટ હેલેન મેકેન્ટાયરથી એક બાળક છે.</p> <p>નોંધનીય છે કે, બ્રિટનમાં કોઇ પ્રધાનમંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હોય તેવું 200 વર્ષ બાદ બન્યું છે, છેલ્લે વર્ષ 1822માં તત્કાલિન પ્રાઇમ મિનીસ્ટર રોબર્ટ બેન્ક્સ જેકિન્સને તેમના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હતા.</p>

from world https://ift.tt/3vATsvu

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...