મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, ચાર દિવસ રાજ્યના આ વિસ્તારને ઘમરોળશે વરસાદ

<p>રાજ્યમાં પ્રિ મોનસૂન એક્ટિવિટિ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ચાર દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. તો આવતીકાલે ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી અને બુધવારે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી વરસાદની આગાહી કરાઈ છે. તો શુક્રવારે વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.</p> <p>નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ અનુમાન કરતા બે દિવસ મોડુ શરૂ થઈ શકે છે. કેરળમાં ચોમાસાનું આગમન ત્રીજી જુને થવાની શક્યતા છે. આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 31 મે એટલે કે આજે ચોમાસાની શરૂઆત થશે. જો કે તેમા હવે બે દિવસ મોડુ થશે.</p> <p>ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર પહેલી જુનથી દક્ષિણ-પશ્ચિમી હવા ધીમે ધીમે જોર પકડી શકે છે. જેને લીધે કેરળમાં વરસાદ સંબંધી ગતિવિધીમાં તેજી આવી શકે છે. જે જોતા કેરળમાં ત્રણ જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે તે અંગે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રહેવાની શક્યતા છે.&nbsp; જુનથી લઈને સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે.</p> <p>હવામાન વિભાગે જણાવ્યું કે કર્ણાટક તટ પર સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ પર અસર પડી છે. આગામી પાંચ દિવસમાં પૂર્વોત્તર રાજ્યોના કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જુને ચોમાસાનું આગમન થતું હોય છે. જો કે એક દિવસ વહેલા શરૂ થવાનું અનુમાન હતુ. જેમાં હવે બે દિવસનું મોડુ થયું છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે.</p>

from gujarat https://ift.tt/3i6pTOm

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...