મુખ્ય સામગ્રી પર જાઓ

કોંગ્રેસના દિગ્ગજ યુવા નેતાએ ગુજરાતના પ્રભારી બનવાનો કરી દીધો સ્પષ્ટ ઈન્કાર, જાણો હવે ક્યા બે નેતામાંથી એકને સોંપાશે જવાબદારી ?

<p><strong>અમદાવાદઃ</strong> રાજ્યસભાના સભ્ય રાજીવ સાતવનું કોરોનાના લીધે અવસાન થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રભારીપદ હાલમાં ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીની નિમમઊક કરવાની તૈયારી શરૂ કરી છે. આ માટે સચિન પાયલોટની પસંદગી કરાઈ હતી પણ પાયલોટે સાફ ઈન્કાર કરી દીધો છે.</p> <p>સોનિયા ગાંધી દ્વારા સચિન પાયલોટને ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી બનાવીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષની કમાન સોંપવા નક્કી કરાયુ હતું પણ તેમણે આ જવાબદારી સ્વિકારવા ઈન્કાર કરી દીધો છે. સૂત્રોના મતે, કોંગ્રેસના યુવા નેતા સચિન પાયલોટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પદે નિયુક્ત કરવા ઓફર કરાઇ હતી પણ તેમણે ધરાર ઇન્કાર કરી દીધો છે. પાયલોટ રાજસ્થાનના રાજકારણમાં જ રહેવા માગે છે.</p> <p>પાયલોટના ઈન્કાર પછી હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી તરીકે કોંગ્રેસના સિનીયર નેતા બી. કે. હરિપ્રસાદ , મોહન પ્રકાશ, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડેનાં નામો ચર્ચાઇ રહ્યાં છે.&nbsp; બી.કે .હરિપ્રસાદ અગાઉ&nbsp;&nbsp; ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે સેવા આપી ચૂક્યાં છે. હરિપ્રસાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સંગઠનના કાર્યકરોથી સારી રીકે વાકેફ છે. મોહન પ્રકાશ પણ ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે રહી ચૂક્યાં છે.</p> <p>રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે&nbsp; ગુજરાતના પ્રભારીપદે મોહન પ્રકાશના નામની ભલામણ કરી હોવાનું કહેવાય છે. સિનીયર નેતા મુકુલ વાસનિકનું&nbsp;&nbsp; નામ પણ પ્રભારીની રેસમાં છે. હાલ વાસનિક મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી પદે છે. અવિનાશ પાંડેનુ નામ પણ હાઇકમાન્ડના યાદીમાં છે પણ કોંગ્રેસનાં સૂત્રોના મતે, આ ચારેય નેતા પૈકી બી. કે. હરિપ્રસાદ અને મોહન પ્રકાશમાંથી કોઈ એકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાય તેવી સંભાવના છે.&nbsp;</p> <p>કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી એકાદ-બે સપ્તાહમાં જ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રભારીના નામની જાહેરાત થઇ શકે છે.&nbsp; ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે એકાદ વર્ષ બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા માળખાની ઝડપથી રચના કરાય એટલા માટે કોગ્રેસ હાઇકમાન્ડે નવા પ્રદેશ પ્રભારીની શોધખોળ આદરી છે.</p>

from gujarat https://ift.tt/2RZJuVR

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...