મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ, રાજ્યના આ વિસ્તારમાં વરસાદની આગાહી

<p>રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વલસાડ, ડાંગ, .વડોદરા, દાહોદ, મહીસાગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.</p> <p>પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદમાં ૭ જૂન બાદ વાતાવારણમાં પલટો આવતા હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે તે પહેલા અમદાવાદમાં આગામી સપ્તાહે તાપમાન 42 ડિગ્રી થઈ શકે છે. કારણ કે અમદાવાદમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થતાં ગઈકાલે સરેરાશ મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી નોંધાયું.</p> <p>ગુરુવારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાનાઉંઝા સહિત કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોને નુકસાનની શક્યતા છે.</p> <p>તો આ બાજુ બનાસકાંઠા જિલ્લાના કાંકેરજ, થરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક શરુ થયેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉનાળું પાકને નુકસાન થવાની શક્યતા છે.</p> <p>તો આ બાજુ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ ગુરુવારે વરસાદ વરસ્યો હતો. ગુરુવારે પાટણના બાલીસણા, સંડેર, રણુજ સહિતના વિસ્તારમાં એકાએક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથેના વરસાદના કારણે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તો અચાનક વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાનની શક્યતા છે.</p> <p>મોનસૂનની ઉત્તર સરહદ કોમોરિન સાગર સુધી પહોંચી ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ અનુરાસ આગામી ત્રણ ચાર દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી શક્યતા છે. જો આવુ થયુ તો દેશના દક્ષિણ રાજ્યોમાં મોનસૂન સમયથી પહેલા બેસી જશે.</p> <p>કેરળામં મોનસૂમ સામાન્ય રીતે એક જુને પ્રવેશે છે. હવામાન વિભાગ અનુસાર મોનસૂન ઉત્તર સરહદ કેરળના કિનારાથી હાલ 200 કિલોમીટર દુર છે. તૌકતે વાવાઝોડા પસાર થયુ તેના પછી કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમ જેમ મોનસૂન માટે અનુકુળ પરિસ્થિતિ બની રહી છે. તેમ તેમ કેરળના ઘણા વિસ્તારોમાં આ સપ્તાહથી જ સતત હળવો વરસાદ વરસી રહ્યો છે.</p> <p>અર્નાકુલ્લમ, અલ્લાપ્પુઝા, કોટ્ટાયમ, ઈડુક્કી, પઠાનમથિટ્ટા સહિતના જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદ વરસ્યો.</p> <p>ચોમાસાના વિધિસર આગમન સુધી તાપમાનમાં ભારે વધારો&nbsp; કે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે. તાપમાનનો પારો ચોમાસાના આગમન સુધી ૩૮થી ૪૧ ડિગ્રી સુધી રહેવાનો અંદાજ મંડાયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કારણે થાય છે.</p>

from gujarat https://ift.tt/3wHS3mM

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...