મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccine: ફાઈઝર આ વર્ષે ભારતને 5 કરોડ ડોઝ આપવા તૈયાર, પણ રાખી આ શરતો

<p>Corona Vaccine: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હજુ પણ કહેર વર્તાવી રહી છે. અનેક રાજ્યો કોરોના રસી ન મળવાને કારણે પરેશાન છે. ત્યારે હવે અમેરિકાની ફાઈઝર કંપની આ વર્ષે ભારતને પાંચ કરોડ ડોજ આપવા માટે તૈયાર છે પરંતુ તે વળતર સહિત કેટલીક નિયામકીય શરતોમાં મોટી છૂટ ઇચ્છે છે.</p> <p>ક્યારે-ક્યારે મળશે રસી ?</p> <p>ફાઈઝરે કહ્યું કે, ભારતને એક કરોડ રસી જુલાઈમાં, એક કરોડ ઓગસ્ટમાં અને બે કરોડ સપ્ટેમ્બર અને એક કરોટ રસી ઓક્ટોબરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીએ કહ્યું કે, તે માત્ર ભારત સરકાર સાથે જ વાત કરશે અને રસીનું પેમેન્ટ ભારત સરકાર તરફથી ફાઈઝર ઇન્ડિયાને કરવાનું રહેશે.</p> <p><strong>અત્યાર સુધી ફાઈઝર રસીની આડઅસરનો કોઈ રિપોર્ટ નથી</strong></p> <p>ખરીદવામાં આવેલ રસીને ઘરેલુ સ્તરે વિતરણ કરવાનું કામ ભારત સરકારે ખુદ જ કરવાનું રહેશે. સૂત્રોએ કહ્યું કે, ભારતને રસી આપવા માટે ફાઈઝરે ભારત સરકારને વળતરનો કરાર કરવાની શરત પણ રાખી છે અને તેના દસ્વાતેજ મોકલ્યા છે. ફાઈઝર અનુસાર તેણે અમેરિકા સહિત 116 દેશો સાથે વળતર માટે કરાર કર્યા છે. વિશ્વભરમાં ફાઈઝર રસીના અત્યાર સુધીમાં 14.7 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં આ રસીની આડઅસરનો કોઈ રિપોર્ટ ક્યાંથી આવ્યો નથી.</p> <p><strong>આગામી વર્ષે ભારતને મળી શકે છે મોડર્નાની એક ડોઝવાળી રસી</strong></p> <p>બીજી બાજુ મોડર્નાની એક ડોઝવાળી રસી આગામી વર્ષે ભારતમાં મળી શકે છે. તેના માટે તે સિપ્લા અને અન્ય ભારતીય દવા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. મોડર્નાએ ભારતીય પ્રાધિકરણોને કહ્યું છે કે તેની પાસે 2021માં અમેરિકાથી બહાર માટે રસીનો સ્ટોક નથી. કહેવાય છે કે, સિપ્લાએ મોડર્ના પાસેથી 2022માં પાંચ કરોડ રસી ખરીદવા માટે રસ દાખવ્યો છે.</p> <p>જણાવી કે, વૈશ્વિક અને ઘરેલુ બજારમાં રસીની ઉપલબ્ધતાને લઈને કેબિનેટ સવિચની અધ્યક્ષતામાં વિતેલા સપ્તાહે કેટલીક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. તેમાં વિદેશ મંત્રાલય, નીતિ આયોગ, જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ, કાયાદ મંત્રાલય અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી હાજર રહ્યા હતા.</p> <p><strong>દેશમાં અત્યાર સુધી 20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા</strong></p> <p>દેશમાં રસીકરણ અભિયાનમાં હાલમાં બે રસી કોવીશીલ્ડ અને કોવૈક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતે રસિયાની સ્પુતનિક વી રસીને પણ મંજૂરી આપી દીધી છે પરંતુ હાલમાં તેનો સ્ટોક મર્યાદિત સંખ્યામાં જ છે. આ વર્ષે જાન્યુઆરીના મધ્યમાં શરૂ કરવામાં આવેલ રસીકરણ અભિયાન બાદથી અત્યાર સુધી 20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.</p>

from india https://ift.tt/3fRw8CK

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...