મુખ્ય સામગ્રી પર જાઓ

શું આજથી ભારતમાં Facebook, WhatsApp સહિતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગશે ? જાણો શું છે કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ

<p>ભારતમાં Facebook, WhatsApp, Twitter અને Instagram માટે નવા નિયમ લાગુ કરવાની ડેડલાઈન ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે. આઈટી નિયમો મુજબ તેમાં ફેરફાર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ભારત સરકારે ટવીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિત સોશલ મીડિયા પ્લેટફોર્મને પ્રાઈવસી નિયમનું પાલન કરવામાં નિષ્ફળ રહેવાને લઈ ચેતવણી સાથે નોટિસ ફટકારી છે. નવા નિયમ મુજબ ટવીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશલ મીડિયા પ્લેટફોર્મમાં મુખ્ય અનુશાસન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદી અધિકારી નિયુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે.</p> <p><strong>ટ્વિટરે સમય માગ્યો</strong></p> <p>જ્યારે આ ગાઈડલાઈનની ડેડલાઈન ખત્મ થતા પહેલા સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે પોતાના નિવેદનમાં કહ્યું કે, તે સરકારની નવી ગાઈડલાઈનનું સન્માન કરે છે અને તેને લાગુ કરવા માટે કાર્યરત છે. ફેસબુકે એ પણ કહ્યું કે, નવી ગાઇડલાઈનને લાગુ કરવાને લઈને તેની સરકાર સાથે ચર્ચા પણ ચાલી રહી છે. બીજી બાજુ માઈક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે ભારત સરકાર તરફથી નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે છ મહિનાનો સમય માગ્યો છે. જ્યારે ભારતીય ટ્વિટર કહેવાતી Koo Appએ સરકારની નવી ગાઇડલાઈનને લાગુ કરી દીધી છે.</p> <p>નોંધનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી હતી. કેન્દ્રએ તેને લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ Koo App સિવાય કોઈ અન્ય પ્લેટફોર્મ તેને લાગુ કરી શક્યા નથી. એવામાં નવી ગાઈડલાઈન લાગુ ન કરવા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવી શકે છે.</p> <p>કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન અનસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ભારતમાં નોડલ ઓફિસર, રેસિડન્ટ ફરિયાદ અધિકારીની નિમણુક કરવી પડશે, જે ભારતમાં જ હશે. આ અધિકારીએ 15 દિવસની અંદર OTT કન્ટેન્ટ વિરૂદ્ધ મળનારી ફરિયાદનું સમાધાન કરવું પડશે. ઉપરાંત નવી ગાઈડલાઈન અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એક મંથળી રિપોર્ટ બહાર પાડવો પડશે, જેમાં ફરિયાદ અને સમાધાનની જાણકારી હશે. ઉપરાંત કઈ પોસ્ટ અને કન્ટેન્ટને હટાવવામાં આવ્યા છે અને તેનું કારણ શું હતું તેના વિશે પણ કહેવું પડશે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પાસે ભારતનું ફિઝિકલ એડ્રેસ હોવું જોઈએ, જે કંપનીની મોબાઈલ એપ અને વેબસાઈટ પર નોંધાયેલ હોય.</p>

from india https://ift.tt/3vlLV3m

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...