India Corona Cases Today: દેશમાં 44 દિવસ બાદ સૌથી ઓછા કેસ આવ્યા, 24 કલાકમાં 1.86 લાખ લોકો સંક્રમિત થયા
<p><strong>નવી દિલ્હીઃ </strong> દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ બે લાખથી ઓછા આવ્યા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.</p> <p>27 મે સુધીમાં દેશભરમાં 20 કરોડ 57 લાખ 20 હજાર 660 કોરોન રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 29 લાખ 19 હજાર 699 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં 33 કરોડ 90 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.70 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીરીટ રેટ 8 ટકાથી વધારે છે.</p> <p>કેન્દ્ર સરકારે કહ્યં કે, કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે અને સાથે જ આશા વ્યક્ત કરી છે કે આગામી દિવોસમાં પ્રતિબંધોમાં વધારે છૂટછાટ આપવા છતાં કેસ ઓછા આવતા રહેશે. પરંતુ સાથે જ કહ્યું છે કે, હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા ઘણી વધારે છે.</p> <p>દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.15 ટકા છે જ્યારે રિકવરી રેટ 90 ટકા આસપાસ છે. એક્ટિવ કેસ ઘટીને 9 ટકાથી ઓછા થઈ ગઆ છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p>
from india https://ift.tt/2QZxX8x
from india https://ift.tt/2QZxX8x
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો