<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં થોડા સમય પહેલા કોરોનાની બીજી લહેરનો હાહાકાર હતો ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનની માંગમાં અચાનક ઉછાળો આવ્યો હતો. કલાકો સુધી રઝળપાટ કરવા છતાં આ ઈન્જેક્શન મળતું નહોતું અને તે સમયે ઘણા દર્દીએ જીવ પણ ગુમાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ એસઈસીએ જ્યુબલિયન્ટ લાઈફ સાયન્સની રેમડેસિવર ટેબ્લેટના ઈમરજન્સી વપરાશને મંજૂરી આપી છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">SEC suggests emergency use authorisation for Remdesivir tablets by Jubliant life Sciences: Sources</p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1397762439093972992?ref_src=twsrc%5Etfw">May 27, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>રેમડેસિવિર ઈંજેક્શનની આડઅસર</strong></p> <p>કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારકર હોવાની માન્યતા છે. ડોકટર્સ પણ રેમડેસિવિર ઈન્જેકશનની ભલામણ કરે છે પણ આ ઈંજેક્શન જીવલેણ સાબિત થઈ શકે છે. મેડિકલ નિષ્ણાતો રેમડેસિવિર ઈંજેક્શનથી 5 જીવલેણ આડઅસરની ચેતવણી આપે છે.</p> <ul> <li>લોહીમાં ઓક્સિજન ઘટી જઈ શકે. તેના કારણે શ્વાસ રૂંધાય ને મૃત્યુ નિપજે</li> <li>બ્લડ બાયોમેકર્સના કારણે મહત્વનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય</li> <li>પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ સર્જાય</li> <li>લિવરને ગંભીર અસર થાય કે જે જીવલેણ સાબિત થાય</li> <li>સામાન્ય લક્ષણ ધરાવતાં કિસ્સામાં રેમેડેસિવિરનો ઉપયોગ ઠીક નથી</li> </ul> <p>રિમડેસિવિરથી સારવાર કરાયેલા લોકોમાં તે સામાન્ય રીતે થતી સામાન્ય અસરોમાં શ્વાસ રૂંધાવો અને બ્લડ બાયોમેકર્સના કારણે મહત્વના અંગ કામ કરતાં બંધ થઈ જઈ શકે છે. જેમાં ઓછી આલ્બુમિન, લો પોટેશિયમ, રક્ત કણોમાં ઘટાડો, થ્રોમ્બોસાયટ્સ ઘટી જવા અને કમળાનો સમાવેશ થાય છે. અન્ય અહેવાલ મુજબ વિપરીત અસરોમાં ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ મુશ્કેલી, લોહીમાં એલિવેટેડ ટ્રાન્સમિનેઝનું સ્તર (યકૃત ઉત્સેચકો), પ્રેરણા સાઇટની પ્રતિક્રિયાઓ અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની અસામાન્યતાઓ સામેલ છે. રેમડેસિવિર ઇન્ફ્યુઝન-સંબંધિત પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે, જેમાં લો બ્લડ પ્રેશર, ઉબકા, ઉલટી થવી, પરસેવો વળવો અથવા કંપન થવું શામેલ છે. કેટલાક કિસ્સામાં રેમડેસિવિરની આડઅસરમાં લિવર પર પણ જોવા મળે છે. જેને લઈ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.</p> <p><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,11,298 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3847 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,83,135 લોકો ઠીક પણ થયા છે. </p> <ul> <li>કુલ કેસ- બે કરોડ 73 લાખ 69 હજાર 093</li> <li>કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 46 લાખ 33 હજાર 951</li> <li>કુલ એક્ટિવ કેસ - 24 લાખ 19 હજાર 907</li> <li>કુલ મોત - 3 લાખ 15 હજાર 235</li> </ul> <p><a href="https://ift.tt/34lL4E3 Cases India: દેશમાં 24 કલાકમાં 2.11 લાખથી વધુ કેસ નોંધાયા, 3847 સંક્રમિતોના મોત</strong></a></p> <p><a href="https://gujarati.abplive.com/news/rajkot/rajkot-400-mucormycosis-patients-in-queue-for-surgery-in-rajkot-details-here-728661"><strong>સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મ્યુકરમાઈકોસિસે વર્તાવ્યો કહેર, સર્જરી માટે 400 લોકોનું વેઈટિંગ</strong></a></p>
from india https://ift.tt/3vswSoz
from india https://ift.tt/3vswSoz
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો