મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં મળતી આ એક કેરી માટે 1000 રૂપિયા ચૂકવવા તૈયાર છે લોકો, જાણો શું ખાયિત છે આ ‘નૂરજહાં’ કેરીની

<p>મધ્ય પ્રદેશના અલિરાજપુરમાં પ્રખ્યાત 'નૂરજહાં' કેરીની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં કેરીનો સારો પાક થયો છે અને કેરીનું કદ પણ ગયા વર્ષની સરખામણીમાં વધારે છે. ચાલુ વર્ષે નૂરજહા કેરીના એક નંગનો ભાવ ૫૦૦ થી ૧૦૦૦ રૃપિયા ચાલી રહ્યો છે.</p> <p>ગયા વર્ષે તો માવઠાને કારણે આ કેરીનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું હતુ પરંતુ આ વર્ષે નૂરજહા કેરીનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. અત્યંત વજનદાર આ કેરી પાકતા પહેલા જ ખૂબ ઊંચા ભાવે બુક થઈ જાય છે.</p> <p>મૂળ અફઘાનિસ્તાનની મનાતી કેરીની આ જાતના ગણ્યાગાંઠયા આંબા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. આ વિસ્તાર ગુજરાત નજીક આવેલો છે.</p> <p>ઇન્દોરથી ૨૫૦ કિલોમીટર દૂર આવેલા કટ્ટીવાડાના કેરી ઉત્પાદક શિવરાજ સિંહ&nbsp; જાધવે રવિવારે જણાવ્યું હતું કે મારા બગીચામાં નૂરજહા કેરીના ત્રણ વૃક્ષો છે અને તેના પર કુલ ૨૫૦ ફળો લાગ્યા છે. આ તમામ કેરીઓનું બુકિંગ અગાઉથી જ થઇ ગયું છે. લોકો આ પ્રજાતિની એક કેરી માટે ૫૦૦ રૃપિયાથી લઇને ૧૦૦૦ રૃપિયા ચૂકવવા માટે તૈયાર છે.</p> <p>નૂરજહાં કેરીનું એડવાન્સ બુકિંગ કરાવનારા મધ્યપ્રદેશના પાડોશી રાજ્ય ગુજરાતના સ્વાદરસિયાઓ પણ સામેલ છે. બાગાયતી નિષ્ણાતો કહે છે, આ વખતે મધ્યપ્રદેશમાં નૂરજહાં આંબાની એક કેરીનું વજન બેથી સાડાત્રણ કિલો સુધીનું છે.</p> <p><strong>1 ફુટ સુધી લાંબી હોઈ શકે છે નૂરજહાં કેરી</strong></p> <p>જાણકારી અનુસાર નૂરજહાં કેરી જૂનની શરૂઆતમાં આવે છે. જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફૂલ આવવા લાગે છે. સ્થાનીક ખેડૂતોનો દાવો છે કે એક નૂરજહાં કેરી એક ફુટ સુધી લાંબી હોઈ શકે છે અને તેનો ગોઠલાનું વજન 150થી 200 ગ્રાન સુધી હોઈ શકે છે. કહેવાય છે કે, આ વખતે નૂરજહાંની એક કેરીનું વજન 2 કિલોથી 3.5 કિલોની આસપાસ હોઈ શકે છે.</p> <p><strong>કારોબાર પર પડી મહામારીની અસર</strong></p> <p>કેરીની ખેતી કરનાર નિષ્ણાંત ઇશાક મંસૂરીનું કહેવું છે કે, આ વખતે સારો પાક આવ્યો છે, પરંતુ કોરોના મહામારીએ કારોબારને પ્રભાવિત કર્યો છે. તેમણે કહ્યું કે, વર્ષ 2020માં પ્રતિકૂળ હવામાનને કારણે નૂરજહાંનો પાક મળ્યો ન હતો. જ્યારે વર્ષ 2019માં આ જાતની એક કેરીનું વજન લગભઘ 2.75 કિલોગ્રામ હતું અને ખરીદદારોએ તેના માટે 1200 રૂપિયા સુધી ચૂકવ્યા હતા.</p>

from india https://ift.tt/34XEhkh

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...