મુખ્ય સામગ્રી પર જાઓ

કોગ્રેસે કોરોનામાં જીવ ગુમાવનારાઓના પરિવારને 10 લાખ રૂપિયાની મદદ આપવાની કરી માંગ

<p>નવી દિલ્હીઃ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાંથી જે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે એમાંથી કોરોના પીડિત પરિવારોને વળતર આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આ તેમની જરૂરિયાત અને અધિકાર છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કહ્યું કે, વિકટ સ્થિતિમાં જન સહાયતાના આ અવસરથી મોદી સરકારે પાછા હટવું જોઇએ નહીં.</p> <p>રાહુલ ગાંધીએ ટ્વિટમાં કહ્યું કે, પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સ વસૂલીના નાના હિસ્સાને કોરોના પીડિત પરિવારોને વળતર આપી શકાય છે. આ તેમની&nbsp; જરૂરિયાત છે, અધિકાર છે. વિકટ પરિસ્થિતિમાં જન સહાયતાના આ અવસરથી મોદી સરકારે પાછા હટવું જોઇએ નહીં.[tw]https://twitter.com/RahulGandhi/status/1409473849360519169[/tw]</p> <p>આ અગાઉ કોગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, રાહુલ ગાંધીની માંગ હતી કે કોવિડ વળતર ફંડ સ્થાપિત કરવામાં આવે. અમારી માંગ છે કે તત્કાળ કોવિડ વળતર ફંડ સ્થાપિત કરવામાં આવે અને તમામ મૃતક પરિવારને તેમાંથી 10 લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.</p> <p>વાસ્તવમાં કોગ્રેસે કોવિડના કારણે જીવ ગુમાવનારા પરિવારોને આર્થિક મદદની માંગ કરી હતી. જેના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટને કોરોના પીડિતો અને કોરોના યોદ્ધાઓનું અપમાન ગણાવ્યું હતું. કોગ્રેસે કહ્યું કે, આ મહામારીમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારને 10 લાખ રૂપિયાની મદદ આપવામાં આવે.</p> <p>ગૌરવ વલ્લભે દાવો કર્યો કે છેલ્લા નાણાકીય વર્ષમાં સરકારે પેટ્રોલ-ડીઝલના ઉત્પાદકો પર ટેક્સ મારફતે લગભગ ચાર લાખ કરોડ રૂપિયાની&nbsp; લૂંટ કરી હતી અને આ રાશિના 10 ટકા ખર્ચ કરીને કોવિડ પ્રભાવિત પરિવારોની મદદ કરી શકાય છે.</p> <p>તેમણે કહ્યું કે, છેલ્લા 16 મહિનામાં દેશનો તમામ નાગરિક કોરોના મહામારીથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રભાવિત થયો છે. પરંતુ સરકાર કાંઇ સાંભળવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટમાં સરકારે એફિડેવિટ દાખલ&nbsp; કરી છે જેના પરથી લાગે છે કે તેને દેશના નાગરિકોની કોઇ ચિંતા નથી.</p> <p>&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3diviib" width="631" height="381" scrolling="no"></iframe> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3joOoHk" width="631" height="381" scrolling="no"></iframe> <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3h1FXA5" width="631" height="381" scrolling="no"></iframe></p>

from india https://ift.tt/3y0FNhZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...