મુખ્ય સામગ્રી પર જાઓ

દુનિયાના 10 સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં કેવુ છે વેક્સિનેશનનુ કામ, ભારતમાં કેટલા લોકોને અપાઇ રસી, જાણો.....

<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરને કેર વર્તાવીને મુકી દીધો છે. હજુ પણ પ્રકોપ યથાવત છે. જોકે, હવે નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે દેશમાં રસીકરણ અભિયાનને શરૂ કરી દેવામાં આવ્યુ છે. વેક્સિનની કમીના કારણે કેટલાક રાજ્યોએ કેન્દ્રો પર 18 થી 44 વર્ષ સુધીના લાકો માટે હાલ વેક્સિનેશન બંધ કરી દીધુ છે. વેક્સિનની કમીના કારણે સરકાર પર પણ આરોપ લાગી રહ્યાં છે. આ બધાની વચ્ચે જાણો દુનિયાના 10 સૌથી વધુ વસ્તી વાળા દેશમાં વેક્સિનેશનની કામગીરી ક્યાં પહોંચી, અને ભારતની આ મામલે શું છે સ્થિતિ...... જાણો રિપોર્ટમાં.....</p> <p>વર્લ્ડ બેન્કના એક રિપોર્ટ અનુસાર, વેક્સિનેશન કરવાના મામલામાં ભારત અમેરિકા અને ચીનથી પણ પાછળ છે. આ રિપોર્ટમાં પહેલા નંબર પર અમેરિકા, બીજા નંબર પર ચીન અને ત્રીજા નંબર પર બ્રાઝીલ છે. વર્તમાનમાં ચીનને છોડી દઇએ તો, સૌથી વધુ કોરોનાના કેસો અમેરિકા, ત્યારબાદ ભારત અને બ્રાઝીલમાં છે. &nbsp;</p> <p><strong>ટૉપ 10 દેશોમાં ભારત કયા નંબર પર છે?</strong><br /><strong>(પ્રતિ 100 લોકોની જનસંખ્યામાં કેટલા લોકોનુ રસીકરણ થયું)</strong></p> <p>અમેરિકા- 6 લોકોનુ&nbsp;<br />ચીન- 4 લોકોનુ&nbsp;<br />બ્રાઝિલ- 4 લોકોનુ&nbsp;<br />મેક્સિકો- 24 લોકોનુ&nbsp;<br />રશિયા- 1 લોકોનુ&nbsp;<br />ભારત- 4 લોકોનુ&nbsp;<br />જાપાન- 1 લોકોનુ<br />ઇન્ડોનેશિયા- 10 લોકોનુ&nbsp;<br />બાંગ્લાદેશ- 1 લોકોનુ&nbsp;<br />ફિલીપાઇન્સ- 7 લોકોનુ&nbsp;</p> <p><br /><strong>સૌથી વધુ વેક્સિનેશન કરનારા ટૉપ 6 દેશમાં કેટલા છે કોરોનાના કેસો?</strong></p> <p>અમેરિકા- 3 કરોડ 41 લાખ 74 હજાર 752<br />ચીન- 91 હજાર 194<br />બ્રાઝીલ- 1 કરોડ 68 લાખ 3 હજાર 472<br />મેક્સિકો- 2 કરોડ 42 લાખ 6 હજાર 822<br />રશિયા- 5 લાખ 99 હજાર 182<br />ભારત- 2 કરોડ 85 લાખ 74 હજાર 350</p> <p><strong>આ દેશોમાં અત્યાર સુધી કેટલા લોકો મૃત્યુ પામ્યા&nbsp;</strong></p> <p>અમેરિકા- 6 લાખ 11 હજાર 611<br />ચીન- 4 હજાર 636<br />બ્રાઝીલ- 4 લાખ 69 હજાર 784<br />મેક્સિકો- 2 લાખ 28 હજાર 362<br />રશિયા- 1 લાખ 22 હજાર 660<br />ભારત- 3 લાખ 40 હજાર 702</p> <p><strong>દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા, 2713 લોકોના મોત.....</strong></p> <p>કોરોના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. વિશ્વભરમાં સૌથી વધારે કેસ દરરોજ ભારતમાં જ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 32 હજાર 364 નવા કોરોના કેસ આવ્યા અને 2713 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 2 લાખ 7 હજાર લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 77420 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા મંગળવારે 1 લાખ 34 હજાર 154 નવા કેસ સામે આવ્યા હતા અને 2887 લોકોના મોત થયા હતા.</p> <p>આજે દેશમાં સતત 22માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 3 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 41 લાખ 9 હજાર 448 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 28 લાખ 75 હજાર લોકોને રસી આપવામાં આવી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 35 કરોડ 74 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.75 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.</p> <p><strong>દેશમાં આજે કોરોનાની સ્થિતિ.......</strong></p> <p><strong>કુલ કોરોના કેસ - બે કરોડ 85 લાખ 74 હજાર 350</strong></p> <p><strong>કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 65 લાખ 97 હજાર 655</strong></p> <p><strong>કુલ એક્ટિવ કેસ - 16 લાખ 35 હજાર 993</strong></p> <p><strong>કુલ મોત - 3 લાખ 40 હજાર 702</strong></p> <p>દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 6 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p>

from india https://ift.tt/3pqRqM3

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...