મુખ્ય સામગ્રી પર જાઓ

ટ્વિટરને 18 જૂને હાજર થવા સંસદીય સમિતિનો આદેશ, નવા આઇટી કાયદા સહિત અનેક મુદ્દે થશે ચર્ચા

<p>નવી દિલ્હીઃ નવા આઇટી કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે સંસદની સૂચના અને ટેકનોલોજીની સ્થાયી સમિતિએ ટ્વિટરના અધિકારીઓને 18 જૂનના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સંસદીય સમિતિએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અધિકારીઓને પણ પોતાનો પક્ષ રાખવા હાજર થવા કહ્યું છે. &nbsp;</p> <p>આ અંગે સંસદ ભવન સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલી ચર્ચાને આગળ વધારવામાં આવશે. પેનલ નવા આઇટી કાયદા અને તાજેતરમાં જ થયેલી કેટલી ઘટનાઓ જેમાં મૈન્યુપ્લેટીવ મીડિયા વિવાદ અને દિલ્હી પોલીસ દ્ધારા ટ્વિટરના અધિકારીઓને નવી ગાઇડલાઇન્સને લઇને પૂછપરછને લઇને ચર્ચા કરશે. <br /><br /></p> <p>અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પેનલ અગાઉ ટ્વિટરના પક્ષને જાણશે બાદમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અધિકારીઓને નાગરિકોના અધિકારીઓને સુરક્ષિત રાખવા સોશિયલ મીડિયા અને ઓનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના ખોટા ઉપયોગ સહિત ડિઝિટલ દુનિયામાં મહિલાની સુરક્ષા પર વિશેષ ધ્યાનના વિષય પર પુરાવા રજૂ કરવાની તક આપશે. <br /><br /></p> <p>સૂચના અને ટેકનોલોજીની સ્થાયી સમિતિની અધ્યક્ષતા કોગ્રેસ નેતા અને થિરુવનંતપુરમના સાંસદ શશિ થરુર કરશે. થરૂરે ટ્વિટરના અધિકારીઓને અનેક મુદ્દાઓ પર પક્ષ રાખવા બોલાવ્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર સાથે ટ્વિટરનો ટકરાવ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો. દરમિયાન કેન્દ્રિય ટેકનોલોજી મંત્રાલયે ટ્વિટરને એ કન્ટેન્ટ બ્લોક કરવા કહ્યુ હતું જેમાં વડાપ્રધાન મોદીના વહીવટીતંત્ર પર દેશમાં ખેડૂત આંદોલનને લઇને ટીકાઓને ખત્મ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. બાદમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારવા નવો કાયદો રજૂ કર્યો. જેને શરૂઆતમાં ટ્વિટરે માનવાનો ઇનકાર કર્યો હતો.</p> <p>ત્યારબાદ જ્યારે ટ્વિટરે ભાજપના કેટલાક નેતાઓના ટ્વિટને મૈન્યુપ્લેટિવ મીડિયા એટલે કે હેરફેર કરનારી જાણકારી ગણાવી ત્યારે ટ્વિટર અને સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઇ હતી. બાદમાં દિલ્હી&nbsp; પોલીસની સ્પેશ્યલ સેલે ટ્વિટરની ઓફિસની મુલાકાત લીધી તો કંપનીએ પોતાના કર્મચારીઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. વાસ્તવમાં ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના ટ્વિટર એકાઉન્ટ આગળથી બ્લૂ ટિક હટાવી દીધું હતું. જોકે, વિરોધ થતા બંન્નેના એકાઉન્ટ પર બ્લૂ ટિક પાછું આવી ગયું હતું.</p>

from india https://ift.tt/3gqdqDU

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...