મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ પડ્યો, જાણો ક્યા વિસ્તારમાં સૌથી વધારે ખાબક્યો

<p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એક ઈંચથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ખેડામાં સૌથી વધુ પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તો નર્મદાના ડેડિયાપાડામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.</p> <p>આણંદમાં પણ છેલ્લા 24 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો. તો સુરતના ઉમરપાડામાં પોણા ત્રણ ઈંચ. સુરતના માંગરોલમાં સવા બે ઈંચ તો નવસારીમાં પણ સવા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમદાવાદના સાણંદમાં છેલ્લા 24 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો સુરતના મહુવામાં બે ઈંચ, ખેડાના નડિયાદમાં બે ઈંચ, ખેડાના વાસોમાં બે ઈંચ નવસારીના જલાલપોસમાં પોણા બે ઈંચ પડ્યો હતો.</p> <p>ગાંધીનગરના કલોલમાં દોઢ ઈંચ, ખેડાના મહેમદાવાદમાં દોઢ ઈંચ, સુરતના કામરેજમાં દોઢ ઈંચ, આણંદના આંકલાવમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. આ સિવાય અમદાવાદ શહેરમાં તાપીના ડોલવણ, આણંદના તારાપુરમાં એક ઈંચથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.</p> <p>શુક્રવારે રાતે નવ વાગ્યે અમદાવાદ શહેરમાં પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ હતું. જોત જોતમાં વરસાદ એટલો તેજ થયો કે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારોમાં તો એક કલાકની અંદર સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો એસજી હાઈવે, ઘાટલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો.</p> <p>ધોધમાર વરસાદ વરસતા અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પણ પોલ ખોલી નાંખી. માત્ર એક કલાકમાં વરસેલા સરેરાશ એક ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. તો બોપલ, ઘુમા, વિવેકાનંદ, બાકરોલ, સનાથલ સહિતના વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પૂરવઠો પણ ખોરવાયો.</p> <p>વરસાદ શરૂ થતા જ અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓને પોતાની પોલ ખુલતી જોવા મળી તો પાલડી સ્થિત કંટ્રોલરૂમમાં મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું. શહેરના સાત અંડરપાસની સ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવ્યુ. હવે જ્યારે વરસાદનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે સમગ્ર શહેરમાં છ હજાર સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે.</p> <p>આણંદ જિલ્લામાં પણ શુક્રવારે રાત્રે વરસાદ પડ્યો હતો. પવન અને ગાજવીજ સાથે આણંદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આણંદ સહિત વઘાસી, ગામડી, મોગર સહિતના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. છુટોછવાયો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.</p> <p>મહેસાણામાં પણ શુક્રવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. પવન અને ગાજવીજ સાથે&nbsp; મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.</p> <p>શુક્રવારે વડોદરા શહેર અને અલગ અલગ તાલુકામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વડોદરા શહેરમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. તો ડભોઈ અને પાદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ડભોઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો પાદરામાં પણ વરસાદ વરસ્યો હતો. અચાનકથી આવેલા વરસાદથી ડાંગર, તુવેર અને બાજરીના તૈયાર પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.</p>

from gujarat https://ift.tt/3cjkZde

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...