મુખ્ય સામગ્રી પર જાઓ

બાલકનીમાં લડતુ હતુ કપલ, અચાનક બાલકનીની રેલિંગ તુટી ને કપલ 25 ફૂટ ઉપરથી નીચે પડ્યુ, પછી શું થયુ, જુઓ વીડિયો.........

<p><strong>નવી દિલ્હીઃ</strong> કોઇપણ દંપતિની વચ્ચે ઝઘડો થવા સામાન્ય વાત છે, કેટલાક દંપતિ પોતાની લડાઇ ઘરની અંદર જ રાખવાનુ પસંદ કરે છે, તો કેટલાક વિના સમજે-વિચારે ક્યાંય પણ લડવાનુ શરૂ કરી દેતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય દંપતિને લડતા લડતા નીચે પડતા જોયા છે? સાંભળવામાં તમને થોડુક વિચિત્ર લાગશે પરંતુ સોશ્યલ મીડિયા પર એક દંપતિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે પોતાની બાલકનીમાં લડતા દેખાઇ રહ્યાં છે, અને પછી અચાનક બાલકનીની રેલિંગ તુટી જાય છે અને તે બન્ને 25 ફૂટ નીચે રસ્તાં પર પટકાય જાય છે.</p> <p>આ વીડિયો ઓલ્ગા વોલ્કોવા અને યેવગેની કાર્લાગિન નામના દંપતિનો છે, જે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં પોતાના ઘરના બીજા માળ પર લડાઇ કરતા દેખાઇ રહ્યાં છે, અને તેમનો આ વીડિયો કોઇ રાહદારીએ બનાવ્યો છે. વળી દંપતિને ગંભીર રીતે ઘાયલ થયા બાદ નજીકની હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, જ્યાં બન્નેની હાલત ઠીક બતાવવામાં આવી રહી છે, તેમને ગંભીર ઇજાઓ નથી થઇ.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/WfmsYRU7GT4" width="640" height="390" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>ઘટનાની થઇ રહી છે તપાસ</strong><br />પ્રત્યક્ષદર્શીઓને બતાવ્યુ કે દંપતિને એક નાનો દીકરો છે, અને સવારે લગભગ 10 વાગે કપલ બાલકનીમાં લડતા દેખાયા હતા. વળી ઘટના બાદ સેન્ટ પીટર્સબર્ગ રાજ્ય અભિયોજકના કાર્યાલયે કેસની તપાસ શરૂ કરી દીધી છે, અને એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે શું બાલકની પહેલાથી જ ખરાબ હતી કે નહીં.&nbsp;</p> <p><strong>પ્રત્યક્ષદર્શીનુ નિવેદન&nbsp;</strong><br />પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ કે, જ્યારે તે પોતાની સહયોગીની સાથે જઇ રહ્યાં હતા ત્યારે તેમને રસ્તાં પર ભીડ જોઇ, અને દંપતિને લડતા જોયા તો વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો, તે સમયે બન્ને નીચે પડી ગયા. આ પછી ત્યાં રહેલી ભીડમાં એક શખ્સને ચિકિત્સા અનુભવ હતો એટલે તેને દંપતિની મદદ કરી અને તેમના પલ્સ ચેક કર્યા. પછી પ્રત્યક્ષદર્શીઓએ એમ્બ્યૂલન્સને બોલાવી હતી.&nbsp;</p>

from world https://ift.tt/3g0zSlE

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...