મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ક્યાંક 4 તો ક્યાં અઢી ઇંચ વરસાદ પડ્યો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

<p>રાજ્યમાં વલસાડમાં બુધવારેથી ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે. ત્યારે દક્ષિણ ઓરિસ્સામાં સક્રિય થયેલી વરસાદની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.</p> <p>હવમાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં મુખ્યત્વે ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, પોરબંદર અને અમરેલીમાં વરસાદ વરસે તેવી આગાહી છે. જો કે હવામાન વિભાગ અનુસાર આ પાંચ દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.</p> <p>ગુરવારે નવસારીમાં અઢી ઈંચ, જલાલપોરમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો. તો અમરેલી જિલ્લાા વિવિધ વિસ્તારમાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. રાજકોટ, સોમનાથ, ભાવનગર જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. ચોમાસુ સુરત, નદુંરબાર, બેતુલ થઈને આગળ વધી રહ્યું છે. ચોમાસાના આગમન સાથે સુરતના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. વલસાડના કપરાડા બાદ ટુંક સમયમાં ચોમાસુ સુરત આવી પહોંચ્યું હતુ.</p> <p>અમરેલી જિલ્લામાં ગુરુવારે મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, લાઠી, ખાંભા, ચલાલામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડીમાં ધોધમાર વરસાદ વરસાદ ગામની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં 1 મિનિ ટ્રેક્ટર, 4 બાઈક અને પશુઓ પણ તણાતા દેખાયા હતા.</p> <p>ગામની મુખ્ય બજારમાં આવેલી બેંકમાં પાણી ઘૂસી ગયા હતા. જો કે, વરસાદ થમતા પાણી ઓસર્યા હતા. અમરેલીમાં સતત એક સપ્તાહથી સતત વરસાદના કારણે નદી- નાળાઓ છલકાઈ રહ્યા છે. ત્યારે ચરખડીયા ગામે આવેલી ખારી નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત પૂર આવ્યું છે. ચરખડિયાની ખારી નદીમાં પૂર આવતા લોકો નદી કિનારે પહોંચ્યા હતાં. અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. સતત એક સપ્તાહ સુધી વરસાદના કારણે ધારીના ચલાલાની ડીંડક્યો નદીમાં પૂર આવ્યું છે. ધોધમાર વરસાદ વરસતા ડીંડક્યો નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે વહેતી થતા લોકો નદીએ પહોંચ્યા હતાં. સતત વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.</p> <p>તો ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા સાવરકુંડલાનો શેલ દેદુમલ ડેમ થયો ઓવરફ્લો થયો છે. ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા અને નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે.</p>

from gujarat https://ift.tt/35bj8D6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...