મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતના આ વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી, સોમવારે વરસેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા

<p>રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ પડી શકે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવુંઅનુમાન છે.</p> <p>રાજ્યમાં અત્યારસુધી ૪.૪૦ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૩.૩૧% વરસાદ નોંધાયો. ગત વર્ષે ૨૮ જૂન સુધી ૪.૮૬ ઈંચ સાથે સરેરાશ ૧૪.૩૨% વરસાદ પડયો હતો.</p> <p>તો અમદાવાદમાં પણ 3 દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. અમદાવાદમાં 4 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના નહીવત છે. અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં મોસમનો સરેરાશ 5.23 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.</p> <p>તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાત્રે છોટાઉદેપુરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધંધોડા, ચીલરવાંટ, નાલેજ, રૂનવાડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.</p> <p>છોટાઉદેપુરમાં નિઝામી સોસાયટીમાં પાણી ભરાતા પ્રશાસનની પોલ ખૂલી તો આ તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.</p> <p>મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાંજ બાદ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો. તો આ તરફ બાલાસીનોર, ખાનપુર, સંતરામપુર સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટું પડ્યુ છે.</p> <p>તો આ તરફ આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આણંદના વલ્લભવિદ્યાનગર, કરમસદ, લાંભવેલ, મોગરી, કરમસદ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો..જેનેપ પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.</p> <p>અમરેલી જિલ્લામાં સોમવારે વરસેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. સોમવારે બપોર બાદ અમરેલી શહેર,ગોખરવાળા,સાવરકુંડલા શહેર અને જાફરાબાદ શહેર આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લીલીયા શહેરમાં વરસાદ પડતાં નાવલી નદીમા પાણી ની આવક થઈ. ગામની બજારમાં પણ પાણી નો પ્રવાહ જોવા મળ્યો હતો. તો આ તરફ બાબરના જામબરવાળા,રાયપર આસપાસ વરસાદ પડતાં સ્થાનીક ખેડૂતો ખુશ થયા અને ખેતરો પાણીથી ભરાયા છે. સાવરકુંડલાની નાવલી નદીમા પુર આવ્યું છે. તો જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમા પણ નવાનીર પાણીની આવક થઈ છે.</p>

from gujarat https://ift.tt/3hec3r6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...