<p><strong>મુંબઈઃ</strong> કોરોનાની સારવારને લઈને લોકોની વચ્ચે રોજ નવા નવા ભ્રમ ફેલાઈ રહ્યા છે. સરકારનો પ્રયત્ન છે કે આ પ્રકારની અફવાઓ પર નિયંત્રણ લગાવવામાં આવે અને લોકોને જ ગરૂકત કરતા એ કહેવામાં આવે કે કોરોના સંક્રમિત દર્દીએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો. હાલમાં જ સરકારે કોરનાની સારવાર માટે નવું પ્રિસ્ક્રિપ્શન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે, કોરોના દરમિયાન કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો.</p> <p>કોરોનાની સારવાર માટે જે દવાઓના નામ સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર જનરલ (ડીજીએચએસ)ની વેબસાઈટ પર આપવામાં આવી છે જેમાં એપ્રિલમાં ભારતની સૌથી વધારે વેચાનારી દવા, એન્ટીવાયરલ ફેવિપિરાવિરને સામેલ કરવામાં નથી આવી.</p> <p><strong>રેમડેસિવિરીનો ઉપયોગ વરિષ્ઠ ડોક્ટરની સલાહ બાદ જ કરવો</strong></p> <p>જ્યારે ડીજીએચએસ અનુસાર એન્ટીવાયરલ રેમડેસિવિરનો મર્યાદિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. રેમડેસિવિરને લઈને કહેવામાં આવ્યું છે કે, તેનો ઉપયોગ માત્ર વરિષ્ઠ ડોક્ટરની સલાહ બાદ જ કરવો કારણ કે તે “નુકસાનની ક્ષમતાવાળી પ્રાયોગિક દવા” છે.</p> <p>કોરોના દર્દી માટે બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર હવે કોઈ એન્ટીબાયોટિક લેવાની નથી. દર્દીને વિટામિન અથવા ઝિંકની ગોળી લેવાની નથી. દર્દીને સલાહ આપવામાં આવી છે કે તે આઈવરમેક્ટિનનો ઉપયોગ ન કરે. જ્યારે તાવ આવવા પર માત્રે પેરાસિટામોલનનો ઉપયોગ કરવો.</p> <p><strong>6 મિનિટની વોક ટેસ્ટ</strong></p> <p>સરકાર તરફથી બહાર પાડાવમાં આવેલ ગાઈડલાઈન અનુસાર કોરોના દર્દી માટે 6 મિનિટ વોક ટેસ્ટની વાત કહેવામાં આવી છે. જ્યારે દર્દીને બિનજરૂરી સીટી સ્કેન ન કરાવાવની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં ડોક્ટરોને પણ કહેવામાં આવ્યું છે કે તે આ પ્રકારની સલાહ ન આપે.</p> <p>જણાવીએ કે, કેટલાક દિવસ પહેલા જ પ્લાઝ્મા થેરાપીને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. આ ગાઈડલાઈનમાં પ્લાઝ્મા થેરાપીને કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલથી હટાવવામાં આવી હતી.</p>
from india https://ift.tt/2RvznaY
from india https://ift.tt/2RvznaY
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો