મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ, જાણો માત્ર સાત દિવસમાં જ દર્દી પર કરે છે કેવી ખતરનાક અસર?

<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરોનાનો વધુ એક નવો વેરિઅન્ટ B.1.1.28.2 મળી આવ્યો હોવાનો ધડાકો થયો છે. આ વાયરસ બહુ ખતરનાક છે અને માત્ર 7 જ દિવસમાં દર્દીનું વજન ઘટાડવા લાગે છે. વાયરસનો આ વેરિઅન્ટ સૌથી પહેલાં બ્રાઝિલમાંથી મળી આવ્યો હતો.</p> <p>આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા બાદ ભારતમાં મળી આવેલા આ વેરિયન્ટ B.1.1.28.2ને વિજ્ઞાનીઓ બહુ ખતરનાક માને છે. આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી શરીરનું વજન ઘટાડી શકે છે અને ડેલ્ટાની જેમ તે પણ વધુ ગંભીર અને એન્ટીબોડી ક્ષમતા ઘટાડી શકે છે.&nbsp;</p> <p>પહેલાં એવું મનાતું હતું કે બ્રાઝિલથી માત્ર &nbsp;એક જ વેરિઅન્ટ ભારત આવ્યો છે પણ હવે વિજ્ઞાનીએ સ્પષ્ટતા કરી છે કે, બ્રાઝિલથી એક નહીં પણ બે વેરિઅન્ટ ભારતમાં આવ્યા હતા અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ જ ઝડપી હોવાથી ઝડપથી ચેપ લગાડે છે.</p> <p>પુણે ખાતે આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે B.1.1.28.2 વેરિએન્ટ વિદેશથી આવેલા બે લોકોમાંથી મળી આવ્યો હતો. તેનું જીનોમ સિક્વન્સિંગ કર્યા બાદ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું કે જેથી તેની અસર અંગે જાણ થઈ શકે. સીરિયાઈ હૈમસ્ટર (એક પ્રજાતિના ઉંદર) પર કરવામાં આવેલા પરીક્ષણના પરિણામ પ્રમાણે સંક્રમિત થયાના સાત જ દિવસમાં આ વેરિએન્ટની ઓળખ થઈ શકે છે. અભ્યાસ પ્રમાણે જ્યારે બે લોકોમાં આ વેરિએન્ટ મળી આવ્યો ત્યારે તેમનામાં કોઈ લક્ષણો નહોતાં જણાઈ રહ્યા પણ આ વેરિએન્ટથી સીરિયાઈ હૈમસ્ટરને સંક્રમિત કરવામાં આવ્યા તો ગંભીરતાની જાણ થઈ.&nbsp;</p> <p>હજુ સુધી ભારતમાં આ વેરીયન્ટના વધુ કેસ નથી નોંધાયા. બીજી તરફ કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. આ વેરીયન્ટ એન્ટીબોડીનું સ્તર ઘટાડે છે જેથી ફરી સંક્રમિત થવાની આશંકા વધી જાય છે માટે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.&nbsp;</p>

from india https://ift.tt/2SgIe0x

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...