મુખ્ય સામગ્રી પર જાઓ

રસીના બન્ને ડોઝ લીધા બાદ કેટલો સમય રહે છે ઇમ્યુનિટી ? શું બૂસ્ટર ડોઝ લેવો જ પડશે ? જાણો નિષ્ણાંતો શું કહે છે

<p>નવી દિલ્હીઃ ભારતમાં કોરોના (Covid-19) વિરૂદ્ધ રસી લેનાર લોકોની સંખ્યા 21 કરોડને પાર કરી ગઈ છે. જોકે, રસીથી ઇમ્યુનિટી, બન્ને ડોઝ વચ્ચેનો સમય કેટલો હોવો જોઈએ જેવા અનેક સવાલો છે, જેના વિશે લોકો અને નિષ્ણાંતોને પણ પૂરી જાણકારી નથી. દેશમાં હાલમાં કોવિશીલ્ડ (Covishield),સ્પૂતનિક -V (Sputnik-V) અને કોવેક્સીન (Covaxin) ને મંજૂરી આપવામાં આવી છે. સરકાર અનેક વિદેશી રસી બનાવતી કંપનીઓના સંપર્કમાં છે.</p> <p>વિશ્વ સ્વાસ્થઅય સંગઠનના ડોક્ટર કૈથરીન ઓ બ્રાયન કહે છે કે, પ્રથમ ડોઝ લીધા બાદ અંદાજે 2 સપ્તાહની અંદર એક સારી ઇમ્યૂન પ્રતિક્રિયા શરૂ થાય છે. જ્યારે બીજો ડોઝ બાદ ઇમ્યૂન રિસ્પોન્સ વધુ ઝડપી થાય છે. ત્યાર બાદ વ્યક્તિની ઇમ્યુનિટી વધારે મજબૂત બને છે.</p> <p>વૈજ્ઞાનિકો અનુસાર, રસીના બન્ને ડોઝ લીધા બાદ ઇમ્યુનિટીના ગાળાને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. ડોક્ટર કૈથરી કહે છે કે, હાલમાં એ જાણકારી નથી કે રસી લીધા પછી કેટલા સમય સુધી ઇમ્યુનિટી રહે છે. સાથે જ તેમણે કહ્યું કે, એ જાણવામાં હજુ થોડો સમય લાગશે.</p> <p>હાલમાં મળેલી જાણકારી અનુસાર, ફાઈઝરની સી ઓછામાં ઓછા 6 મહિના અથવા તેનાથી વધારે સમય સુધી અસરકારક રહે છે. તેવી જ રીતે મોડર્નાના કેસમાં બીજો ડોઝ લીધા બાદ 6 મહિના સુધી ન્ટીબોડી મળે છે. ભારતમાં લગાવવામાં આવી રહેલ કોવિશીલ્ડ બાદ ઇમ્યૂન પ્રતિક્રિયા એક વર્ષ અથવા તેનાથી વધારે સમય સુધી રહી શકે છે. તેમણે કહ્યું, &lsquo;હાલમાં અમે ન કહી શકીએ પરંતુ Oxford ChAdOx1 ટેકનીકનનો ઉપયોગ કરનારી રસી આવી ઇમ્યુન રિસ્પોન્સ તૈયાર કરી શકે છે, જે એક વર્ષ અથવા તેનાથી વધારે સમય સુધી રહી શકે છે&rsquo;</p> <p>રિપોર્ટ્સ આવ્યો હતો કે વેરિએન્ટ્સ વિરૂદ્ધ રસી પ્રભાવિત થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બન્ને ડોઝ બાદ ત્રીજા બૂસ્ટર ડોઝની જરૂરત રહેશે. કોવેક્સીન બનાવતી ભારતી બાયોટેકના બૂસ્ટર ડોઝ માટે ટ્રાયલ શરૂ કર્યું છે. ટ્રાયલમાં બીજો ડોઝ મેળી ચૂકેલ વ્યક્તિને 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આ ટ્રાયલ સપ્ટેમ્બર અને ઓક્ટબર 2020માં થયું હતું.</p> <p>જ્યારે ન્યૂયોર્ક ટડાઈમ્સમાં પ્રકાશિત બે સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસથી ઇમ્યુનિટી એક વર્ષ સુધી રહે છે. જ્યારે રસીકરણ બાદ તેના આજીવન રહેવાની સંભાવના છે. તેનો મતલબ એ થયો કે કોવિડ-19માંથી બહાર આવેલ દર્દી અથવા પૂરી રીતે ઇમ્યુનાઈઝ્ડ વ્યક્તિને બૂસ્ટર ડોઝની જરૂરત નથી.</p>

from india https://ift.tt/3vIriOY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...