મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતમાં કોરોનાના કેસ ઘટતાં જ આ દેશોએ હટાવ્યા પ્રતિબંધ, જાણો કયા કયા દેશોમાં જઈ શકાશે પ્રવાસે

<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાના (Coronavirus Cases India) કેસ ઘટી રહ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ટોચ પર હતી ત્યારે અનેક દેશોએ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધા હતા. પરંતુ હવે ધીમે ધીમે અનેક દેશો ભારતીય મુસાફરો (Indian Travellers) પરથી પ્રતિબંધ હટાવવા લાગ્યા છે. દુબઈએ થોડા દિવસ પહેલા જ ભારતીય મુસાફરો માટે પ્રતિબંધ હળવા કર્યા હતા. જે બાદ વિશ્વના અન્ય દેશોએ પણ ભારતીયોને આવવાની મંજૂરી આપી છે.</p> <p><strong>તુર્કીઃ</strong> ભારતીય પ્રવાસીઓ તેમના મનગમતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તુર્કી જઈ શકે છે. જોકે અહીંયા આવતાં પ્રવાસીઓએ 14 દિવસના કોવિડ ક્વોરન્ટાઈન નિયમનું કડક પાલન કરવું પડશે. 14 દિવસ બાદ આટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ દેશમાં ગમે ત્યાં ફરી શકશે.</p> <p><strong>રશિયાઃ</strong> જો તમે રશિયા જવાનું વિચારતા હો તો સારા સમાચાર છે. તમે રશિયાના 30 દિવસના સિંગલ એન્ટ્રી તથા ડબલ એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકો છે. અહીંયા પહોંચતા એરપોર્ટ પર 72 કલાક પહેલાનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ બતાવવો જરૂરી છે. હાલ રશિયામાં કોરોના કેસ થોડા વધ્યા છે, તેથી ત્યાં સ્થિતિ કેવી છે તે જાણ્યા બાદ જ ટિકિટ બુક કરાવવી જોઈએ.</p> <p><strong>ઈજિપ્તઃ</strong> ભારતીયોમાં પિરામિડોના દેશ તરીકે ઓળખાતા ઈજિપ્તમાં જઈ શકે છે. રિપોર્ટ મુજબ ઈજિપ્ત પહોંચ્યા બાદ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને હેલ્થ ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવશે. પેસેન્જરોએ 72 કલાકમાં કરાવેલો આર-પીસીઆર ટેસ્ટ નેગેટિવ બતાવવો પડશે.</p> <p><strong>સર્બિયાઃ</strong> જો તમે સર્બિયા જવાનું વિચારતા હોવ તો અહીંથી રવાના થતાં પહેલાના 48 કલાક અગાઉ કરાવેલો નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ સાથે રાખો. 12 વર્ષથી નાના બાળકોને આ નિયમ લાગુ નહીં પડે.</p> <p><strong>ઉઝબેકિસ્તાનઃ</strong> ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે જે ભારતીયોપાસે સીઆઈએસ દેશોના માન્ય વિઝા હોય તેઓ ઉઝબેકિસ્તાન આવી શકશે. 72 કલાક પહેલાનો આરટીપીઆ ટેસ્ટ નેગેટિવ બતાવવો પડશે અને 14 દિવસ ફરજીયાત ક્વોરન્ટાઈન અથવા સેલ્ફ આઈસોલેશનમાં જવું પડશે.</p>

from india https://ift.tt/3cXnhyU

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...