મુખ્ય સામગ્રી પર જાઓ

જમ્મુ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટ શાના દ્વારા કરાયા હોવાની છે આશંકા ? બે બ્લાસ્ટમાં કેટલું થયું નુકસાન ?

<p><strong>જમ્મુઃ</strong> જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તાર નજીક બે મિનિટમાં થયેલા બે ઉપરાછાપરી વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. આ બોમ્બ વિસ્ફોટના પગલે નેશનલ બોમ્બ સેન્ટરના એક્સપર્ટ્સ અને ફોરેન્સિક ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અપાઈ છે. બીજી તરફ એનડીટીવીના અહેવાલમાં દાવો કરાયો છે કે, એરપોર્ટમાં કરાયેલો આ હુમલો ડ્રોન એટેકે છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે.</p> <p>બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસે નરવાલ વિસ્તારમાંથી એક આતંકીની ધરપકડ કરી છે. તેની પાસેથી&nbsp;5&nbsp;કિલો&nbsp;IED&nbsp;જપ્ત કરવામાં આવ્યું છે. આ આતંકવાદીનું જમ્મુના બ્લાસ્ટ સાથે કોઈ કનેક્શન છે કે કેમ તેની તપાસ હજુ ચાલી રહી છે.</p> <p>સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર,&nbsp;જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તાર પાસે વહેલી સવારે બે વાગ્યો &nbsp;5&nbsp;મિનિટના અંતરે બે વિસ્ફોટ થયા હતા. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે પ્રથમ વિસ્ફોટ કમ્પાઉન્ડ બિલ્ડિંગની છત પર અને બીજો નીચે થયો હતો. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વાયુસેનાએ જણાવ્યુ છે કે વિસ્ફોટમાં માત્ર છત જ ડેમેજ થઈ છે અને અન્ય કોઈ નુકશાન થયું નથી.</p> <p>ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે લો-ઇંટેંસિટીના વિસ્ફોટ થયા હતા. એક વિસ્ફોટમાં બિલ્ડીંગની છત ડેમેજ થઈ છે,&nbsp;જ્યારે અન્ય એક વિસ્ફોટ જમીન પર થયો હતો,&nbsp;પરંતુ તેમાં પાક કોઈ નુકશાન થયું નથી.</p> <p>આ<strong>&nbsp;</strong>&nbsp;વિસ્ફોટનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. આ ઘટના લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના બની છે&nbsp;તે&nbsp;જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તારની નજીક ભારતીય વાયુ સેનાનું સ્ટેશન હેડક્વાર્ટર પણ છે. જમ્મુનું મુખ્ય એરપોર્ટ પણ આ કેમ્પસમાં જ આવે છે. એરફોર્સ,&nbsp;નેવી અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/35U0a4j

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...