મુખ્ય સામગ્રી પર જાઓ

ભારતના આ પાડોશી દેશમાં હવે કોરોના રસી નહીં લેવા પર સિમ કાર્ડ થઈ જશે બંધ, જાણો સરકારે શું નિર્ણય કર્યો

<p>કોરોના રસી ન લેનાર વિરૂદ્ધ પાકિસ્તાનની પંજાબ સરકારે કડક નિર્ણય કર્યો છે. તેણે નિર્ણય કર્યો છે કે રસી નહીં લેનારનું મોબાઈલ ફોનનું સિમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. નિર્ણય પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર યાસમીન રાશિદની અધ્ક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો ઉદ્દેશ વધુમાં વધુ લોકો રસી લે તે છે.</p> <p>ડોક્ટર રાશિદે કહ્યું, &ldquo;રાજ્યમાં મોટાપાયે રસીકરણે કારણે કોરોનાન કેસ ઘણાં ઘટી ગયા છે. પરંતુ પ્રાથમિક સ્વાસ્થ્ય વિભાગોના સંકલિત રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, રાજ્ય હજુ પણ કોરોના રસીકરણના ટાર્ગેટથી ઘણું પાછળ ચાલી રહ્યું છે.&rdquo; તેમણે કહ્યું કે, કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર અંદાજે 3 લાખથી 4 લાખ લોકો બીજો ડોઝ લેવા જ નથી આવ્યા. પાકિસ્તાનમાં મોટા પાયે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.</p> <p><strong>કોના સિમ અને કેવી રીતે બંધ થશે ?</strong></p> <p>સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, એવા લોકો જેમણે કોરોના રસી નથી લીધી અને તેમણે રસી માટે રજિસ્ટ્રેશન પણ નથી કરાવ્યું, પ્રથમ તબક્કામાં તેમને ચેતવણી આપવામાં આવશે. તેમણે ઝડપથી કોરોના રસી માટે રજિસ્ટ્રેશન કરાવવાનું અને રસી માટે સ્લોટ બુક કરાવવાના રેહશે. બીજા તબક્કામાં ચેતવણીનું ઉલ્લંઘન કરવા પર તેના ઓળખ પત્ર સાથે જોડાયેલ સિમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. મોબાઈલનું સિમ કાર્ડ ફરીથી ત્યારે જ ચાલુ થશે જ્યારે તેણે કોરોના રસી લઈ લીધી હશે.</p> <p><strong>શું પંજાબમાં લોકો રસી નથી લઈ રહ્યા ?</strong></p> <p>હાલમાં પંજાબમાં 50 લાખથી વધારે લોકોએ કરોના રસી લઈ લીધી છે. આંકડા અનુસાર, બીજો ડોઝ ન લેનાર લોકોની સંખ્યા હજુ 10 લાખ આસપાસ થે. સરકારે શરૂઆતમાં 70 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રસિકરણ અભિયાન ચલાવ્યું હતું. હાલમાં 18 વર્ષથી વધારે લોકો માટે કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.</p> <p class="article-title "><a href="https://gujarati.abplive.com/news/india/who-said-new-covid-19-variant-lambda-identified-in-29-countries-730825">કોરોના થશે વધુ ઘાતક, 29 દેશોમાંથી મળ્યો કૉવિડ-19નો નવો વેરિએન્ટ 'લેમ્બ્ડા': WHOએ કરી પુષ્ટી</a></p> <p class="article-title "><a href="https://ift.tt/3wPb3QG Origin: વુહાન લેબ પર મોટો પુરાવો, પાંજરામાં કેદ રાખવામાં આવે છે જીવતા ચામાચિડીયા</a></p>

from world https://ift.tt/3wQZU26

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...