કોરોના સંક્રમિત બાળકોની સારવારને લઈ જાહેર કરવામાં આવી નવી ગાઈડલાઈન, રેમડેસિવિર અને સ્ટીરોયડનો ઉપયોગ.....
<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાની બીજી લહેર (Coroanvirus Second Wave) કોહરામ મચાવ્યો હતો અને હવે ત્રીજી લહેરને લઈ કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતર્ક છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન (New Guideline) બહાર પાડી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ સંક્રમિત બાળકોને હવે એન્ટી વાયરલ રેમડેસિવિર (Remdesivir) નહીં આપી શકાય, ઉપરાંત બાળકોને સ્ટીરોયડ આપવાથી પણ બચવું જોઈએ તેમ કરી શકાશે.</p> <p> આ ગાઈડલાઈનમાં બાળકોની શારીરિક ક્ષમતાને જોવા માટે 6 મિનિટનો વોક ટેસ્ટ લેવાની સલાહ આપવામાં આવી છે. જેમાં બાળકની આંગળીમાં પલ્સ ઓક્સીમીટર લગાવીને તેને 6 મિનિટ સુધી ટહેલવાનું કહેવામાં આવ્યું છે. આ દરમિયાન સેચુરેશન 94થી ઓછું આવે તો તેને શ્વાસ લેવામાં તકલીફ સમજવી જોઈએ. જેના આધારે બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવાનો નિર્ણય લેવો જોઈએ.</p> <p>મંત્રાલયે એમ પણ કહ્યું છે કે જે બાળકોને અસ્થમા હોય તેની ટેસ્ટ ન લેવી.. ગાઈડલાઈનમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે જો કોઈ દર્દીમાં કોવિડની ગંભીર સમસ્યા જણાય તો ઓક્સીજન થેરાપી તાત્કાલિક શરૂ કરી દેવી જોઈએ.</p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,367 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 6148 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.</p> <p>કુલ કેસઃ બે કરોડ 91 લાખ 83 હજાર 521</p> <p>કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 76 લાખ 55 હજાર 493</p> <p>એક્ટિવ કેસઃ 11 લાખ 67 હજાર 952</p> <p>કુલ મૃત્યુઆંકઃ 11,67,952</p> <p>દેશમાં સતત 28માં દિવસે કોરોના વાયરસના નવા મામલા કરતાં રિકવરી વધારે છે. 9 જૂન સુધી દેશભરમાં 24 કરોડ 27 લાખ 26 હજાર કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 33 લાખ 79 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.</p>
from india https://ift.tt/2TgBRKS
from india https://ift.tt/2TgBRKS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો