મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના રસીને આડે અંધશ્રદ્ધા, ગુજરાતનાં આ વિસ્તારમાં લોકો રસી લેવા માટે તૈયાર નથી

<p>કોરોનાની રસીને લઈને રાજકોટના ગ્રામ્યમાં ફેલાયેલી ગેરમાન્યતાનો વધુ એક ઘટના સામે આવી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન અંગે જાગૃતતા માટે આરોગ્ય વિભાગની ટીમ કામ કરી રહી છે. આ દરમિયાન જેતપુરમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ત્યારે કેટલાક લોકો વેક્સિન લેવાની મનાઈ કરતા નજરે પડ્યા હતા. ગેરમાન્યતા ત્યા સુધીની છે કે લોકો એમ કહે છે કે વેક્સિન લેવાથી મૃત્યુ થાય છે. જો કે આ અંગે આપણી ચેનલ એબીપી અસ્મિતા પણ અપીલ કરે છે કે વેક્સિન અંગેની ગેરમાન્યતા છોડવાની જરુર છે. કોરોના સામે લડવા માટે વેક્સિન એક માત્ર ઉપાય છે.</p> <p>અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામમાં પણ રસી અંગેની ગેરમાન્યતાની ઘટના સામે આવી છે. અહીં રસીકરણ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સવારથી જ ફરજ પર હાજર રહે છે પરંતુ ગામના લોકો રસીકરણ માટે અહીં ફરકતા પણ નથી. આરોગ્ય અધિકારીના મતે ખોટી માન્યતાઓને કારણે લોકો રસીકરણ માટે તૈયાર નથી થતા.</p> <p>ગામના સરપંચ-ઉપસરપંચ અને તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ પણ લોકોને વેકસીનેશન માટે સમજાવ્યા પરંતુ તેમ છતાં વેકસીનેશન માટે લોકો આગળ નથી આવી રહ્યા. આ ગામમાં 45 ટકા જેટલા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે પરંતુ રસીને લઈને કેટલીક શંકા-કુશંકાઓને લઈને લોકો હવે રસીનો બીજો ડૉઝ લેવાની ના પાડી રહ્યા છે.</p> <p>કોરોના સામે લડવા વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકોને વેક્સિનને લઈ અંધશ્રદ્ધા અને ગેરસમજણ છે. આવુ જ એક ગામ છે વલસાડના કપરાડાનું નાનાપોન્ધા ગામ જ્યાં 18 થી 44 વર્ષ ના લોકો માટે પણ વેકસીન આપવાની શરૂઆત થઈ છે તો જે સેન્ટર છે તેનાથી 200 મીટર દૂર લોકો ને પૂછવામાં આવ્યું કે વેકસીન કયા કારણસર નથી લીધું તો દરેક જણ પાસે અલગ અલગ કારણો હતા. લોકો ની અપેક્ષા છે કે સરકાર એમના ઘર સુધી માણસો મોકલે ત્યારે વેકસીન લેશે તો અમુક લોકો કહે છે કે હજી લેવાનું એટલે બાકી છે કે ખબર નથી વેકસીન લીધા પછી શું થશે, થોડા લોકો લેશે પછીજ જોઈશું.</p> <p>તો અમુક લોકો સીધી વાત કેહતા જોવા મળ્યા કે વેકસીન લીધા પછી ગામ માં એક જણ નું મોત થયું હતું એટલે દવા ડુપ્લીકેટ હોઈ શકે. સરકાર દ્વારા આવા ડેટા ભેગા કરી અંશ્રદ્ધા તો તોડ અને સુવિધા નું માળખું ઉભું કરવું જોઈએ નહીં તો કપરાડા ની હાલત બગળવી નક્કીજ છે. હાલ કપરાડા માં માત્ર 14 હજાર લોકો એજ વેકસીન લીધી છે અને એમાં મહત્તમ પારડી સાથે જોડાયેલ ગામ અથવા ફેક્ટરી ના લોકો એ વેકસીન લીધી છે. જ્યારે સ્થાનિકો એ ખુબજ ઓછી સંખ્યામાં વેકસીન લીધી છે.</p>

from gujarat https://ift.tt/3uXTSea

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...