મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્રના કયા ગામમાં આભ ફાટ્યું? હજુ બે દિવસ ભારે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

<p><strong>પોરબંદરઃ</strong> રાજ્યમાં 12 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. પોરબંદરના મોઢવાડા ગામે આભ ફાટ્યું છે. ભારે વરસાદને પગલે ગામના વોકળા છલકાયા છે. તેમજ વાડી ખેતરો માં જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે.&nbsp;</p> <p>રાજ્યમાં ચોમાસા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ચોમાસાએ સમગ્ર ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. હવે ચોમાસુ કચ્છ સુધી પહોચ્યું છે. આજે અને આવતી કાલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.</p> <p>જામનગર, દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. પવનની ગતિ 50 થી 60 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે.&nbsp;</p> <p>ગોંડલ તાલુકાના મોવિયા ગામે ભારે &nbsp;વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. મોવિયામાં ભૂગર્ભ ગટરના વિશાળ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયું છે. તંત્ર દ્વારા સાવચેતીના બોર્ડ પણ મારવામાં આવ્યા નથી. વરસાદી પાણી ભરાતા મોવિયાના ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા.&nbsp;</p> <p>મોઢવાડાથી મજીવણા અને શીશલીનો રસ્તો બંધ થઈ ગયો છે. સુરેન્દ્રનગરનાં થાનગઢમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધંધુકા, પાટણ, રાજકોટ, ચીખલી ઉમરપાડા તાલુકામાં બે કલાક મા એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.&nbsp;<br /><br /></p> <p>૧૧થી ૧૭&nbsp; જૂન સુધી સુરત અને દિવ આવીને અટકી ગયેલું ચોમાસુ સાત દિવસ બાદ ગતિમાં આવ્યું છે. ચોમાસુ રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. રાજ્યના ૫૦થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં ૭ ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સવારે ૬થી ૮માં ૫ ઈંચ જ્યારે સવારે ૮થી ૧૦માં ૨ ઈંચ એટલે કે ચાર કલાકમાં જ સાત ઈંચ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.</p> <p>હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ૨૩-૨૪ જૂનના ભારે વરસાદ પડે તેની સંભાવના છે.</p> <p>સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો વિજયનગરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ ઈડર અને ખેડબ્રહ્મામાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.</p> <p>ઉત્તર ગુજરાતમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે. મહેસાણા શહેરમાં તો મેઘરાજાની થઈ ધમાકેદાર એંટ્રી થઈ છે. એક કલાકમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતા મહેસાણા શહેર જળબંબાકાર થયું છે. મહેસાણાની અનેક સોસાયટીઓમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શહેરનું ગોપીનાળું અને ભમરિયું નાળામાં પાણી ભરાતા બંને નાળા બંધ કરી દેવાયા છે. તો મહેસાણાના પરા વિસ્તારમાં 4 ફૂટ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે. જ્યારે સોમનાથ ચોકમાં પણ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન થયા છે. હજુ તો ચોમાસાની થઈ છે શરૂઆત છે ત્યાં જ મહેસાણા શહેરમાં પાણી ભરાતા નગરપાલિકાના પ્રી-મોનસૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે.</p> <div class="section uk-padding-small uk-flex uk-flex-center uk-flex-middle"> <div class="uk-text-center"> <div id="div-gpt-ad-1617272622497-0" class="ad-slot" data-google-query-id="CPCW8eWqo_ECFQOajwodAZYOsQ"> <div id="google_ads_iframe_/2599136/InRead_1x1_Gujarati_0__container__">ગઈકાલે 4 કલાકમાં જ આણંદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા. તેમજ તુલસીનગર વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે રસ્તો અવર જવર માટે બંધ કરાયો હતો.</div> </div> </div> </div>

from gujarat https://ift.tt/2Ukm1iX

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...