મુખ્ય સામગ્રી પર જાઓ

વેક્સિનના પ્રમાણપત્રમાં જો ભૂલ હોય તો, આપ જાતે આ રીતે ભૂલને સુધારી, પ્રમાણપત્ર અપડેટ કરી શકો છો

<p><strong>નવી દિલ્લી</strong> : જો કોરોના રસી મળ્યા પછી પ્રાપ્ત રસીના પ્રમાણપત્રમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો હવે તમે તેને જાતે ઠીક કરી શકો છો. કેન્દ્ર સરકારે આજે એક નવું અપડેટ જાહેર કર્યું છે, જેમાં તમે હવે પ્રમાણપત્ર પર તમારું નામ, જન્મ તારીખ અને લિંગ બદલી શકો છો અને ભૂલોને સુધારી શકો છો.&nbsp;</p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યું કે, &nbsp;કોવિન વેબસાઇટ દ્વારા આ સુધારા &nbsp;કરી શકાશે. આરોગ્ય સેતુ એપના &nbsp;ઓફિશયલ ટ્વિટ પર માહિતીઅપાઇ છે. &nbsp;, &ldquo;જો કોવિન રસીકરણના પ્રમાણપત્રોમાં અજાણતાં તમારા નામ, જન્મ તારીખ અને લિંગમાં કોઈ ભૂલો રહી ગઇ &nbsp;હોય તો કોવિનની વેબસાઇટ પર જાઓ અને આ સંદર્ભમાં તમારી સમસ્યા શેર કરીને આપ જાતે તેને અપડેટ કરીને ભૂલ સુધારી શકો છો.&nbsp;</p> <p>કોવિડ રસીકરણનું પ્રમાણ પત્ર આપને યાત્રા સમયે ઉપયોગી થઇ શકે છે. આ કારણે સરકારે રસીના પ્રમાણપત્રમાં ભૂલને સુધારવા માટેનું ઓપ્પશન આપીને યુઝ્રર્સને પ્રમાણ પત્ર અપડેટ કરાવની સુવિધા આપી છે.</p> <p>બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે એપ પર દેખાશે બે લીલી રંગના ડોટ્સ.જે લોકોએ વેક્સિનનનો એક ડોઝ લીધો છો. તેમને વાદળી રંગનો એક ડોટસ દેખાશે,. તો બંને ડોઝ લઇ લીધાના 14 દિવસ બાદ તેમના નામ સામે બે ડોટસ દેખાશે. &nbsp;રસીકરણ માટે &nbsp;કોવિન એપ પર રજિસ્ટ્રેશન માટે &nbsp;જે મોબાઇલ નંબરનો ઉપયોગ થયો હોય તે &nbsp;તેના દ્રારા વેક્સિનનું પ્રમાણ પત્ર અપડેટ કરી શકાશે . રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ -19ની કુલ 23,90,58,360 ડોઝ આપી દેવાઇ છે.&nbsp;</p> <p><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ</strong><br />દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.21 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકા થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 5 ટકા કરતાં પણ ઓછા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p> <p>આજે દેશમાં સતત 27માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 8 જૂન સુધી દેશમાં 23 કરોડ 90 લાખ 58 હજાર કોરોના રસીના ડોઝ આપિવામાં આવ્યા છે. વિતેલા દિવસે 27 લાખ 76 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 37 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ 4 ટકાં પણ વધારે છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3pxeJE4

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...