મુખ્ય સામગ્રી પર જાઓ

પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં, ખેડૂતોને હજી સારા વરસાદની આશા

<p>દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને આજથી ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ તેજ રહેવાની હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં હજુ 8 ટકા વરસાદની ઘટ છે.</p> <p>તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં આવેલા મંકોડિયા, દુધિયા તળાવ, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો.તો આ તરફ ગણદેવી, ચીખલી, વીજલપોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે.</p> <p>ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. રાજ્યમાં ચોમાસાની સિઝન હજી સામાન્ય બની નથી તેમ છતાં જુલાઇમાં સારા વરસાદની આશાએ વાવેતર વિસ્તાર ધીમે ધીમે વધતો જાય છે. રાજ્યમાં ખરીફનો નોર્મલ વાવેતર વિસ્તાર 85.54 લાખ હેક્ટર છે.</p> <p>રાજ્યમાં સામાન્ય રીતે કપાસ અને મગફળીનું વાવેતર વધારે થાય છે. આ વર્ષે કપાસમાં અત્યાર સુધીમાં 11.66 લાખ હેક્ટર તેમજ મગફળીમાં 9.99 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઇ છે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે તમાકુનો વાવેતર વિસ્તાર પ્રતિવર્ષ ઘટતો જાય છે. તમાકુનો સામાન્ય વાવેતર વિસ્તાર 50 હજાર 848 હેક્ટર છે. જે પૈકી ગયા વર્ષે આ સમયગાળામાં 40 હેક્ટર અને આ વર્ષે માત્ર 11 હેક્ટરમાં વાવેતર થયું છે.</p> <p>કૃષિ વિભાગના 28 જૂનના આંકડા પ્રમાણે મકાઇ, જુવાર, બાજરી અને ડાંગરની રોપણી 74519 હેક્ટર વિસ્તારમાં થઇ છે જે સામાન્ય રીતે 13.55 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે. ગયા વર્ષે 1.07 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. જો કે હજી વાવણીની શરૂઆત છે તેથી વરસાદની આશાએ બેસી રહેલા ખેડૂતોએ આ પાકોમાં હજી વાવેતર શરૂ કર્યું નથી. બીજી તરફ કઠોળ પાકોમાં 10.27 ટકા એટલે કે 44 હજાર 226 હેક્ટરમાં તુવેર, મગ, મઠ, અડદ અને અન્ય કઠોળનું વાવેતર કર્યું છે.</p>

from gujarat https://ift.tt/3h5ELf6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...