મુખ્ય સામગ્રી પર જાઓ

સરકારી-ખાનગી યુનિવર્સિટીઓને ઓફલાઈન પરીક્ષાને લઈને સરકારે આપ્યા મહત્ત્વના આદેશ, જાણો પરીક્ષા લેવાશે કે નહીં ?

<p>રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને જુલાઈ માસમાં યુજી, પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા આદેશ કર્યો છે. પરીક્ષાના આયોજન પૂર્વે તમામ યુનિવર્સિટી, કોલેજોને વેક્સીનેશન કેમ્પ યોજવા અને વિદ્યાર્થીઓને ફરજિયાત વેક્સીન આપવા પણ તાકીદ કરવામાં આવી છે.</p> <p>જો કે આ પરીક્ષામાંથી મેડિકલ, ફાર્મસિ સિવાયના કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. રાજ્યમાં તમામ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અંતિમ વર્ષના ડિગ્રી, ડિપ્લોમા, પીજીના મળીને પાંચ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ થાય છે. જેની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.</p> <p>ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે પરિપત્ર કરીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષા લેવા મંજૂરી આપવામા આવી છે.કોરોનાને લીધે સરકારે માર્ચમાં સ્કૂલો-કોલેજો&nbsp; બંધ કરાવ્યા બાદ સ્થિતિ થોડી સુધરતા યુનિ.ઓ દ્વારા મે-જુનમાં ઓનલાઈન પરીક્ષાઓ લેવાનું શરૃ કરવામા આવ્યુ હતું પરંતુ સરકાર દ્વારા હજુ સુધી યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષાઓની મંજૂરી અપાઈ ન હોવાથી યુનિ. ઓ વિદ્યાર્થીઓને રૂબરૂ પરીક્ષા કેન્દ્રોમાં બોલાવી ઓફલાઈન પરીક્ષાઓ લઈ શકતી ન હતી.</p> <p>ગયા વર્ષે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. આ વર્ષે ફક્ત ઓફલાઈન પરીક્ષા જ લેવમાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ આવનારા દિવસોમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેમ કહ્યું છે. જો કે મોકૂફ થયેલી પરીક્ષા 6 જુલાઈથી ઓફલાઈન લેવાનું અગાઉ જાહેર કર્યું હતુ.</p> <p>શિક્ષણ વિભાગે પણ પરીપત્ર જાહેર કરીને સ્નાતક કક્ષાના સેમેસ્ટર, ટર્મિનલ સેમેસ્ટર, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2021 દરમિયાન પ્રવતર્માન પરિસ્થિતિઓને ધ્યાને લઈ પોતાની અનુકુળતા મુજબ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવા કહ્યું છે.</p> <p>મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો હતો. જેમાં ATKTના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર જાહેર કરાયા હતા. સેમેસ્ટર 1થી 4માં ATKT આવી હોય તે વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. સેમેસ્ટર 5માં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે.</p> <p>જુલાઈમાં&nbsp; બોર્ડની પણ ૫ લાખથી વધુ રીપિટર- ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામા આવનાર છે.</p>

from gujarat https://ift.tt/3heHQbl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...