મુખ્ય સામગ્રી પર જાઓ

સરકારી-ખાનગી યુનિવર્સિટીઓને ઓફલાઈન પરીક્ષાને લઈને સરકારે આપ્યા મહત્ત્વના આદેશ, જાણો પરીક્ષા લેવાશે કે નહીં ?

<p>રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને જુલાઈ માસમાં યુજી, પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા આદેશ કર્યો છે. પરીક્ષાના આયોજન પૂર્વે તમામ યુનિવર્સિટી, કોલેજોને વેક્સીનેશન કેમ્પ યોજવા અને વિદ્યાર્થીઓને ફરજિયાત વેક્સીન આપવા પણ તાકીદ કરવામાં આવી છે.</p> <p>જો કે આ પરીક્ષામાંથી મેડિકલ, ફાર્મસિ સિવાયના કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. રાજ્યમાં તમામ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અંતિમ વર્ષના ડિગ્રી, ડિપ્લોમા, પીજીના મળીને પાંચ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ થાય છે. જેની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.</p> <p>ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે પરિપત્ર કરીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષા લેવા મંજૂરી આપવામા આવી છે.કોરોનાને લીધે સરકારે માર્ચમાં સ્કૂલો-કોલેજો&nbsp; બંધ કરાવ્યા બાદ સ્થિતિ થોડી સુધરતા યુનિ.ઓ દ્વારા મે-જુનમાં ઓનલાઈન પરીક્ષાઓ લેવાનું શરૃ કરવામા આવ્યુ હતું પરંતુ સરકાર દ્વારા હજુ સુધી યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષાઓની મંજૂરી અપાઈ ન હોવાથી યુનિ. ઓ વિદ્યાર્થીઓને રૂબરૂ પરીક્ષા કેન્દ્રોમાં બોલાવી ઓફલાઈન પરીક્ષાઓ લઈ શકતી ન હતી.</p> <p>ગયા વર્ષે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. આ વર્ષે ફક્ત ઓફલાઈન પરીક્ષા જ લેવમાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ આવનારા દિવસોમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેમ કહ્યું છે. જો કે મોકૂફ થયેલી પરીક્ષા 6 જુલાઈથી ઓફલાઈન લેવાનું અગાઉ જાહેર કર્યું હતુ.</p> <p>શિક્ષણ વિભાગે પણ પરીપત્ર જાહેર કરીને સ્નાતક કક્ષાના સેમેસ્ટર, ટર્મિનલ સેમેસ્ટર, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2021 દરમિયાન પ્રવતર્માન પરિસ્થિતિઓને ધ્યાને લઈ પોતાની અનુકુળતા મુજબ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવા કહ્યું છે.</p> <p>મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો હતો. જેમાં ATKTના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર જાહેર કરાયા હતા. સેમેસ્ટર 1થી 4માં ATKT આવી હોય તે વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. સેમેસ્ટર 5માં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે.</p> <p>જુલાઈમાં&nbsp; બોર્ડની પણ ૫ લાખથી વધુ રીપિટર- ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામા આવનાર છે.</p>

from gujarat https://ift.tt/3heHQbl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...