મુખ્ય સામગ્રી પર જાઓ

Brazil Suspends Covaxin Deal: બ્રાઝિલે ભારત બાયોટેકનો આપ્યો મોટો ઝટકો, કોવેક્સિન ખરીદીનો સોદો કર્યો રદ્દ, જાણો કેમ લીધો નિર્ણય

<p><strong>બ્રાસિલિયાઃ</strong> કોરોના રસીને (Corona Vaccine) એક મોટા સમાચાર મળી રહ્યા છે. બ્રાઝિલે ભારત બાયોટેક (Bharat Biotech)સાથે કોવેક્સિન (Covaxin) રસીનો સોદો રદ્દ કરી દીધો છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલોએ આની જાહેરાત કરી છે. કોવેક્સિનની ખરીદ પ્રક્રિયામાં ગરબડીના આરોપ લાગ્યા હતા. જે બાજ 324 મિલિયન ડોલરનો આ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.</p> <p><strong>કેટલા ડોઝ ખરીદવાનું હતું બ્રાઝીલ</strong></p> <p>&nbsp;ભારત બાયોટેક અને બ્રાઝીલ સરકાર વચ્ચે જે ડીલ થઈ હતી તે પ્રમાણે 20 મિલિયન ડોઝ ખરીદવાના હતા. પરંતુ આ ડીલ માટે રાષ્ટ્રપતિ જાયર બોલ્સાનેરો પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા હતા અને બ્રાઝીલ સરકાર પર સતત સવાલ ઉઠતાં હતા. જોકે સરકારે વ્હીલસ બ્લોઅરને સમજાવવાનીકોશિશ કરી હતી ને આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ મામલો ઉકેલાવાના બદલે વધારે ગુંચવાયો હતો અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ બ્રાઝીલ સરકારે આ ડીલ રદ્દ કરી હતી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Brazil's health minister announces that the country will suspend a $324 million contract to buy 20 million doses of Bharat Biotech's Covaxin following controversy over allegations of irregularities: Reuters <a href="https://t.co/GSsulkjcnf">pic.twitter.com/GSsulkjcnf</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1410010350733332488?ref_src=twsrc%5Etfw">June 29, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝીલ</strong></p> <p>દુનિયાના સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશોમાં બ્રાઝીલ એક છે. અહીંયા કોરોનાએ કહેર મચાવ્યો છે. બ્રાઝીલની સ્વાસ્થ્ય નિયામક સંસ્થા અનવિસાએ ભારત બાયોટેકની કોવેક્સિનની આયાતની લીલી ઝંડી આપી હતી.&nbsp;આ ડીલ અંગે કહેવાય છે કે બ્રાઝીલે જાણી જોઈને મોંઘી કોવેક્સિન ખરીદી હતી. રાષ્ટ્રપતિ જાયરે સ્વાસ્થ્ય અધિકારીઓ પર વેક્સિન ખરીદવા દબાણ કર્યું હતું. જે બાદ સતત વધી રહેલા વિવાદ બાદ આ કોન્ટ્રાક્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે.</p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. જોકે આજે ગઈકાલની સરખામણીએ થોડા વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોના મોત થયા હતા. જ્યારે 60729 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.</p>

from world https://ift.tt/3jqMqWG

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...