<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 11માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓવી આવી છે અને સતત ચોથા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 62480 નવા કોરોનાના કેસ આવ્યા અને 1587 સંક્રમિતોના મોત થયા છે. વિતેલા દિવસે 88977 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કેલ ગઈકાલે 28084 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા બુધવારે 67208 કેસ નોંધાયા હતા.</p> <p>દેશમાં સતત 36માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 17 જૂન સુધી દેશભરમાં 26 કરોડ 89 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 32 લાક 59 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 71 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 19 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.</p> <p><strong>આજે દેશમાં કોરોનાની સ્થિતિ</strong></p> <ul> <li><strong>કુલ કોરોના કેસ</strong> - બે કરોડ 97 લાખ 62 હજાર 793</li> <li><strong>કુલ ડિસ્ચાર્જ </strong>- બે કરોડ 85 લાખ 80 હજાર 647</li> <li><strong>કુલ એક્ટિવ કેસ </strong>- 7 લાખ 98 હજાર 656</li> <li><strong>કુલ મોત</strong> - 3 લાખ 83 હજાર 490</li> </ul> <p>દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p> <p><strong>ગુજરાતમાં કોરોના કેસ</strong></p> <p>રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 283 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10018 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.84 ટકા છે.</p> <p>ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગઈકાલે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,52,543 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં ગઈકાલે કુલ 770 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.84 ટકા છે. </p>
from india https://ift.tt/3q3S16A
from india https://ift.tt/3q3S16A
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો