<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરાના સંક્રમણ મામલા છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 48,698 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1183 લોકોના મોત થયા છે. આ પહેલા 21 જૂને 43,640 મામલા સામે આવ્યા હતા. ગઈકાલે 64,818 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેક 17,303 એક્ટિવ કેસ ઘટી ગયા છે.</p> <p> દેશમાં સતત 44મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 25 જૂન સુધી દેશભરમાં 31 કરોડ 50 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 61 લાખ 19 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 40 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17 લાખ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.</p> <p><strong>દેશમાં કોરોના વાયરસની સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 1 લાખ 83 હજાર 143</li> <li>કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 91 લાખ 93 હજાર 85</li> <li>કુલ એક્ટિવ કેસ - 5 લાખ 95 હજાર 656</li> <li>કુલ મોત - 3 લાખ 94 હજાર 493</li> </ul> <p><strong>કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે</strong></p> <p>દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘઠીને 3 ટકાથી ઓછો થયો છે. કોરના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India reports 48,698 new <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&ref_src=twsrc%5Etfw">#COVID19</a> cases, 64,818 recoveries, and 1,183 deaths in the last 24 hours, as per the Union Health Ministry.<br /><br />Total cases: 3,01,83,143 <br />Total recoveries: 2,91,93,085<br />Death toll: 3,94,493 <br />Active cases: 5,95,565 <a href="https://t.co/NIfDeKqKMm">pic.twitter.com/NIfDeKqKMm</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1408634379568508932?ref_src=twsrc%5Etfw">June 26, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર</strong></p> <p>કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.</p>
from india https://ift.tt/35SHdPB
from india https://ift.tt/35SHdPB
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો