<p><strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) ભલે ધીમી પડી હોય પણ સંક્રમણનો દર યથાવત છે. દેશમાં ફરી એક વખત 50 હજારથી નવા મામલા (India Corona Cases) સામે આવ્યા છ. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં 54059 નવા કેસ આવ્યા અને 1321 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે 68885 લોકો કરોનાથી ઠીક પણ થયા છે એટલે કે એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 16137 ઘટી ગઈ છે. </p> <p><strong>કોરોનાની દેશમાં સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 82 હજાર 778</li> <li>કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 90 લાખ 63 હજાર 740</li> <li>કુલ એક્ટિવ કેસ - 6 લાખ 27 હજાર 57</li> <li>કુલ મોત - 3 લાખ 91 હજાર 981</li> </ul> <p>દેશમાં સતત 42માં દિવસે કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા કરતાં રિકવરી થયેલ કેસની સંખ્યા વધારે છે. 23 જૂન સુધી દેશભરમાં 30 કરોડ 16 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 64 લાખ 89 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 78 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી વધારે છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India reports 54,069 new <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&ref_src=twsrc%5Etfw">#COVID19</a> cases, 68,885 recoveries and 1,321 deaths in the last 24 hours, as per Union Health Ministry<br /><br />Total cases: 3,00,82,778 <br />Active cases: 6,27,057<br />Total recoveries: 2,90,63,740<br />Death toll: 3,91,981<br /><br />Total vaccination: 30,16,26,028 <a href="https://t.co/E1e2791qP8">pic.twitter.com/E1e2791qP8</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1407912602668204033?ref_src=twsrc%5Etfw">June 24, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર</strong></p> <p>કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.</p>
from india https://ift.tt/2SlozfY
from india https://ift.tt/2SlozfY
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો