મુખ્ય સામગ્રી પર જાઓ

Coronavirus 3rd Wave: શું ફ્લૂની રસી લેવાથી બાળકોને કોરોના સામે રક્ષણ મળશે ? જાણો નિષ્ણાંતો શું કહે છે

<p>Coronavirus 3rd Wave: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. પ્રથમ લહેરમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો વધારે સંક્રમિત થયા હતા ત્યારે બીજી લહેરમાં યુવાઓ સૌથી વધારે સંક્રમિત થયી છે અને હવે કહેવાય છે કે કોરોનાની ત્રીજી હેરમાં બાળકોને પોતાની ઝપેટમાં લી શકે છે. ત્રીજી લહેરની સંભાવનાને કારણે માતા પિતા અને ડોક્ટરોમાં ચિંતા વધી ગઈ છે.</p> <p>બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે</p> <p>રિસર્ચથી જાણવા મળ્યું છે કે, બાળકોમાં વાયરસથી ગંભીર ચેપ લાગવાની સંભાવના ઓછી છે. જોકે વિતેલા કેટલાક મહિનાઓથી બાળકોમાં કોરોના સંક્રમણ ફેલાવાવના કેસ સતત વધી રહ્યા છે. માટે કહી શકાય કે એ વાતની કોઈ ગેરેન્ટી નથી કે બાળકો પણ કોરોનાથી પૂરી રીતે સુરક્ષિત છે કે નહીં.</p> <p>ફોર્ટિસ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર અને બાળ રોગ નિષ્ણાંત ડો. જેસલ શેઠે કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેરમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને પોતાની ઝપેટમાં લીધા હતા બીજી લહેરમાં યુવાઓ સંક્રમિત થયા હતા જોકે યુવાઓએ હવે રસી લઈ લીધી છે ત્યારે આશંકા છે કે ત્રીજી લહેરમાં બાળકોને વધારે અસર થઈ શકે છે. ડો. શેઠે કહ્યું કે, ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખતા એવી રીતો શોધવાની જરૂરત છે જેથી આપણે બાળકોને સુરક્ષિત રાખી શકીએ અને તો બીમારીની ગંભીરતા ઘટાડી શકીએ. માટે ડો. શેઠે બાળકોને ફ્લૂની પસી લગાવાવની વાત કહી છે.</p> <p>ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ પાંચ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને વાર્ષિક ફ્લૂ રસી આપવાની ભલામણ કરે છે. અમેરિકામાં મહામારી દ રમિયાન કોરોનાથી સંક્રમિત બાળકો પર કરવામાં આવેલ રિસર્ચથી જાણવા મળ્યું છે કે, અમેરિકામાં 201-20માં ફ્લૂની સીઝન દરમિયાન નિષ્ક્રિય ઇન્ફ્લુએજા રસી આપવામાં આવી હતી. તેમનામાં સંક્રમણનું જોખમ થોડું ઓછું હતું.</p> <p><strong>બાળકોને કોરોનાની ગંભીરતાથી કેવી રીતે બચાવે છે ફ્લૂની રસી?</strong></p> <p>ડો. જેસલ સેઠે કહ્યું, &ldquo;કોરોના અ ઇન્ફ્લુએન્જામાં અનેક વિશેષતા છે. હાલમાં કોરોના અને વધારાના ઇન્ફ્લુએન્જા સંક્રમણ મહામારીને એક &lsquo;ટ્વિનડેમિક&rsquo; સ્થિતિમાં બદલી શકે છે. ફ્લૂની રસી લગાવવાથી બાળકોમાં &lsquo;ટ્વિનડેમિક&rsquo;નું જોખમ ઘટશે. ઇન્ફ્લુએન્જાની રસી સંક્રમણના જોખમને ઘટાડવા અને સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણની ગંભીરતા ઘટાડશે.&rdquo;</p> <p>તેમણે કહ્યું, &ldquo;એ ધ્યાન રાખવું જરૂરી છે કે ફ્લૂ રસી અને કોરોના રસી અલગ અલગ છે. બન્ને રસીની વચ્ચે ચાર સપ્તાહનો ગેપ રાખવો જરૂરી છે જેથી બાળકોમાં એન્ટીબોડી વિકસિત કરવા માટે પૂરતો સમય મળી શકે અને વાયરલ હસ્તક્ષેપની વિરૂદ્ધ તમામ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ બની શકે.&rdquo;</p> <p><strong>બાળકોને શા માટે ફ્લૂની રસી લગાવવી જોઈએ?</strong></p> <p>બાળકોમાં ફ્લૂ ખૂબ જ ગંભીર બીમારી હોઈ શકે છે. જેના કારણે તાવ, નાક બંધ, સુકી ઉધરસ, ગળામાં દુઃખાવો, માંસપેશિઓ અને સાંધાનો દુઃખાવો, વધારે થાક લાગવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ ઘણાં દિવસો અને તેનાથી પણ વધારે સમય સુધી જોવા મળી શકે છે. કેટલાક બાળકોને ખૂબ જ વધારે તાવ આવી શકે છે, ક્યારેક ક્યારેક ફ્લૂના સામાન્ય લક્ષણો વગર અને તેની સારવાર માટે હોસ્પિટલ જવું પડે. ફ્લૂથી સંબંધિત ગંભીર સમસ્યાઓમાં પીડા દાયક કાનનું સંક્રમણ, તીવ્ર બ્રોન્કાઈટિસ અને ન્યુમોનિયા સામેલ છે.</p>

from india https://ift.tt/3i7NhuI

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...