<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા છે, જે 75 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2700થી વધુ લોકોના મોત થયા છે. </p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.</p> <ul> <li>કુલ કેસઃ બે કરોડ 95 લાખ 70 હજાર 881</li> <li>કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 82 લાખ 80 હજાર 471</li> <li>એક્ટિવ કેસઃ 9 લાખ 13 હજાર 378</li> <li>કુલ મૃત્યુઆંકઃ 3,77,031</li> </ul> <p><strong>દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા</strong></p> <p>દેશમાં 75 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 33માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 90 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India reports 60,471 new <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&ref_src=twsrc%5Etfw">#COVID19</a> cases (lowest after 75 days), 1,17,525 discharges & 2726 deaths in last 24 hrs, as per Union Health Ministry<br /><br />Total cases: 2,95,70,881<br />Total discharges: 2,82,80,472 <br />Death toll: 3,77,031<br />Active cases: 9,13,378 <br /><br />Total Vaccination: 25,90,44,072 <a href="https://t.co/tEfl3sfKB3">pic.twitter.com/tEfl3sfKB3</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1404649409103634436?ref_src=twsrc%5Etfw">June 15, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>દેશમાં કોરોનાથી મૃત્યુ દર ઘટી રહ્યો છે. જ્યારે રિકવરી રેટ 95.64 ટકા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.</p> <p> રસી નિર્માતા કંપની નોવાવેક્સે સોમવારે કહ્યું કે તેમની વેક્સિન કોરોના વાયરસ સામે 90 ટકા પ્રભાવી છે. સાથે જ અનેક પ્રકારના કોરોના વેરિએન્ટ સામે પણ કારગર છે. અમેરિકી કંપની નોવાવેક્સે ગયા વર્ષે ઓગષ્ટમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા સાથે એક સમજૂતી કરી છે. જે અંતર્ગત 200 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવાનું છે.</p>
from india https://ift.tt/3glFHvs
from india https://ift.tt/3glFHvs
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો