<p><strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. મંગળવારની સરખામણીએ બુધવાકે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો છે. આજે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકોના મોત થયા છે. </p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.</p> <ul> <li>કુલ કેસઃ બે કરોડ 96 લાખ 33 હજાર 105</li> <li>કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 83 લાખ 88 હજાર 100</li> <li>એક્ટિવ કેસઃ 8 લાખ 65 હજાર 432</li> <li>કુલ મૃત્યુઆંકઃ 3,79,573</li> </ul> <p><strong>દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા</strong></p> <p>દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 19 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 28 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">India reports 62,224 new <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&ref_src=twsrc%5Etfw">#COVID19</a> cases, 1,07,628 discharges & 2542 deaths in last 24 hours, as per Health Ministry<br /><br />Total cases: 2,96,33,105<br />Total discharges: 2,83,88,100 <br />Death toll: 3,79,573<br />Active cases: 8,65,432 <br /><br />Total Vaccination: 26,19,72,014 (28,00,458 in last 24 hrs) <a href="https://t.co/mEVj5dNxHZ">pic.twitter.com/mEVj5dNxHZ</a></p> — ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1405007629773049857?ref_src=twsrc%5Etfw">June 16, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95.80 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 3.22 ટકા છે, જયારે સતત નવ દિવસથી 5 ટકાથી ઓછો છે.</p>
from india https://ift.tt/2TBjIYe
from india https://ift.tt/2TBjIYe
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો