મુખ્ય સામગ્રી પર જાઓ

Coronavirus India: દેશમાં 8 એપ્રિલ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા, એક જ દિવસમાં 2795 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today in India:</strong> દેશમાં કોરોના વાયરસની મહામારીના નવા કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોનાનાના નવા 1 લાખ 27 હજાર 510 નવા કેસ આવ્યા છે. મોટી વાત એ છે કે દેશમાં છેલ્લી વખત કોરોનાના એક લાખ 27 હજારથી ઓછા કેસ 13 એપ્રિલના રોજ આવ્યા હતા. ત્યારે દેશમાં કોરોનાના એક લાખ 26 હજાર કેસ નોંધાયા હતા. ગઈકાલે કોરોનાથી 2795 લોકોના મોત થયા છે. જોકે બે લાખ 55 હજાર 287 લોકો ઠીક થયા છે.</p> <p><strong>દેશમાં કોરોનાની સ્થિતિ</strong></p> <p>કુલ કેસ - બે કરોડ 81 લાખ 75 હજાર 44</p> <p>કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 59 લાખ 47 હજાર 629</p> <p>કુલ મોત - ત્રણ લાખ 31 હજાર 895</p> <p>કુલ એક્ટિવ કેસ - 18 લાખ 95 હજાર 520</p> <p>કુલ રસીકરણ - 21 કરોડ 60 લાખ 46 હજાર 638</p> <p><strong>ગઈકાલે 27 લાખ 80 હજાર 58 ડોઝ અપાયા</strong></p> <p>જણાવીએ કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસથી 27 લાખ 80 હજાર 58 રસીના ડોઝ આપવામાં આવ્યા. ત્યાર બાદ કુલ રસીકરણના આંકડા હવે 21 કરોડ 60 લાખ 46 હજાર 638 થઈ ગયા છે. જ્યારે આઈસીએમઆરે કહ્યું કે, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના કુલ 34 કરોડ 67 લાખ 92 હજાર 257 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 19 લાખ 25 હજાર 374 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.</p> <p><strong>મહારાષ્ટ્રમાં 15077 નવા કેસ સામે આવ્યા</strong></p> <p>મહારાષ્ટ્રમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસ મહામારીના 15077 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 33000 લોકો ડિસ્ચાર્જ થયા અને 184 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારે કુલ કેસની સંખ્યા 57 લાખ 46 હજાર 892 થઈ ગઈ છે. જ્યારે હવે કુલ એક્ટવિ કેસની સંખ્યા 2 લાખ 53 હજાર 367 છે.</p> <p><strong>ગુજરાતમાં નવા 1681 કેસ</strong></p> <p>ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18&nbsp; દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833&nbsp; પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79&nbsp; ટકા છે.&nbsp;</p>

from india https://ift.tt/34CWW4y

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...