મોદી દિલ્હી લઈ ગયા હતા એવા તેમના ખાસ IAS અધિકારીનું નિધન, કોરોનાના કારણે બે મહિનાથી AIIMSમા હતા દાખલ...
<p><span lang="HI">ગાંધીનગર:</span><span lang="GU"> કોરોનાના કારણે વધુ એક ટોચના અધિકારીએ જીવ ગુમાવ્યો છે. </span><span lang="HI">ગુજરાત કેડરના </span><span lang="GU">આઈએએસ</span><span lang="HI"> અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્રનું પોસ્ટ કોવિડના કારણે અવસાન થયું છે. </span>1986 <span lang="HI">બેચના આઇએએસ ઓફિસર હતા </span><span lang="GU">મહાપાત્ર કેન્દ્રમાં </span><span lang="HI">ડેપ્યુટેશન પર </span><span lang="GU">હતા અને હાલમાં </span><span lang="HI">ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.</span><span lang="GU"> મોદીની નજીકના અધિકારીઓમાં તેમની ગણના થતી હતી.</span></p> <p><span lang="HI">દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં </span><span lang="GU">શનિવારે</span><span lang="HI"> સવારે તેમનું અવસાન થયું </span><span lang="GU">હતું</span><span lang="HI">. </span> <span lang="HI">કોરોના સંક્રમણનો શિકાર બન્યા પછી </span><span lang="GU">મહાપાત્ર</span><span lang="HI"> છેલ્લા દોઢ મહિનાથી એઇમ્સમાં દાખલ હતા. લાંબા સમય સુધી વેન્ટીલેટર અને કોમામાં રહ્યાં પછી </span><span lang="GU">શનિવારે</span><span lang="HI"> સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.</span></p> <p><span lang="GU">મહાપાત્રે સુરત અને અમદાવાદ એ બે મોટાં શહેરોના</span><span lang="HI"> કમિશનર પદે રહીને </span><span lang="GU">બંને </span><span lang="HI">શહેરની અનેક સમસ્યાઓ હલ કરી હતી.</span><span lang="HI"> </span><span lang="HI">તેમણે રાજકોટ અને જૂનાગઢમાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.</span></p> <p><span lang="HI">દિલ્હી ગયા પછી તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી. તેમણે વાણિજ્ય મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી છે</span><span lang="GU">. </span><span lang="HI"> તેમણે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પ્રમોશન માટે ઉત્તમ કામ કર્યું છે. તેમનું મૂળ વતન ઓરિસ્સાનું ભૂવનેશ્વર હતું. તેઓ એપ્રિલ </span>2022<span lang="HI">માં નિવૃત્ત થવાના હતા.</span><span lang="HI"> </span><span lang="HI">એક તબક્કે તેમનું નામ ગુજરાતના ચીફ સેક્રેટરીના પદ માટે પણ ચર્ચામાં આવ્યું હતું.</span></p> <p><span lang="HI">તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ લાંબા સમય સુધી સર્વિસ આપી હતી. તેઓ લોકપ્રિય સાહિત્યકાર સ્વર્ગીય મહાપાત્ર નિલમણી સાહૂના સૌથી નાના પુત્ર હતા.</span></p> <p><span lang="HI">ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અંજલિ આપતાં કહ્યું હતું કે</span><span lang="GU">,</span><span lang="HI"> મહાપાત્ર સાથે ગુજરાત અને દિલ્હીમાં કામ કરવાનો મોકો મળ્યો છે. તેઓ વહીવટી તંત્રના વિવિધ પ્રશ્નોને સમજતા હતા અને તેનો નિકાલ કરવા</span><span lang="GU"> માટે</span><span lang="HI"> કામ કરતા રહ્યાં છે.</span><span lang="HI"> </span><span lang="HI">રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે મહાપાત્રના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિ</span><span lang="GU">ષ્ઠ </span><span lang="HI">અધિકારી ગુજરાતે ગુમાવ્યા છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે અને તેમના પરિવારને અવસાનથી આવી પડેલા દુખને સહન કરવાની શક્તિ આપે.</span></p>
from india https://ift.tt/3q8MDPO
from india https://ift.tt/3q8MDPO
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો