મુખ્ય સામગ્રી પર જાઓ

મોદીએ સરકારી નોકરી છોડાવી હતી એ IAS અધિકારીને યુપીમાં સોંપી મોટી જવાબદારી, બે દાયકાથી મોદીના છે ખાસ

<p>લખનઉઃ નરેન્દ્ર મોદી સાથે વરસો લગી કામ કરનારા અને મોદીની નજીક મનાતા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી એ. કે. શર્માને ભાજપે ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારી સોંપી છે. ભાજપે શર્માને પ્રદેશ ઊપપ્રમુખ બનાવી દીધા છે. શર્માનો મંત્રીમમંડળમાં સમાવેશ થવાની અટકળો હતી પણ હવે તેમને સંગઠનમાં લઈ જવાતાં આ અટકતળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.</p> <p>આ ઉપરાંત અર્ચના મિશ્રા અને અમિત વાલ્મિકીને પણ મોટી જવાબદારી સોંપીને પ્રદેશ મંત્રી બનાવાયા છે. છેલ્લા કેટલાક સમયથી એ.કે. શર્માને ઉત્તર પ્રદેશમાં મંત્રી બનાવાશે તેવી અટકળો થતી હતી. શર્માને સોંપાયેલી જવાબદારી પરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે, શર્માને યોગી મંત્રીમંડળમાં હમણાં નહી લેવાય.</p> <p>ભાજપ પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે વિવિધ મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરી હતી. આ જાહેરાતોમાં પ્રાંશુદત્ત દ્વિવેદી (ફરુખાબાદ)ને યુવા મોરચા,&nbsp;રાજ્યસભાના સાંસદ શ્રીમતિ ગીતાશાક્ય (ઔરૈયા)ને મહિલા મોરચા,&nbsp;કામેશ્વર સિંહ (ગોરખપુર)ને ખેડૂત મોરચા,&nbsp;પૂર્વ સાંસદ નરેન્દ્ર કશ્યપ (ગાઝિયાબાદ)ને પછાત વર્ગ મોરચાના પ્રમુખ છે. સાંસદ કૌશલ કિશોરને અનુસૂચિત જનજાતિ મોરચા અને કુંવર બાસિત અલિ (મેરઠ)ને લઘુમતી મોરચાના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે.એ.કે. શર્માને આ વર્ષની&nbsp;&nbsp;શરૂઆતમાં કોરોના સામેની લડાઈ પર નિરિક્ષણ રાખવા માટે વડાપ્રધાન મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીમાં મોકલાયા હતા.</p> <p>ભાજપે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં નેતૃત્વ પરિવર્તનનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. સૂત્રોએ કહ્યું હતું કે ભાજપ ઉત્તર પ્રદેશની ચૂંટણી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અને સ્વતંત્ર દેવ સિંહના પ્રદેશ પ્રમુખ તરીકેના માર્ગદર્શનમાં લડશે.ભાજપે એ.કે. શર્માને તાજેતરમાં જ એમએલસી બનાવ્યા હતા.</p> <p>&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/2UnPbOl" width="631" height="381" scrolling="no"></iframe></p> <p>અરવિંદ કુમાર શર્મા વડાપ્રધાનના વિશ્વાસુ મનાય છે. તેઓ વર્ષ&nbsp;2001થી&nbsp;2020 દરમિયાન&nbsp;વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અધિકારી તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય અને ત્યાર પછી વડાપ્રધાન કાર્યાલયમાં પણ કાર્યરત રહ્યા હતા. તેમણે બે વર્ષ પહેલાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.&nbsp;</p> <p><iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3iTgpX6" width="631" height="381" scrolling="no"></iframe></p>

from india https://ift.tt/3wHC4pr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...