India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા, 2713 લોકોના મોત
<p>નવી દિલ્હીઃ કોરોના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. વિશ્વભરમાં સૌથી વધારે કેસ દરરોજ ભારતમાં જ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 32 હજાર 364 નવા કોરોના કેસ આવ્યા અને 2713 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 2 લાખ 7 હજાર લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 77420 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા મંગળવારે 1 લાખ 34 હજાર 154 નવા કેસ સામે આવ્યા હતા અને 2887 લોકોના મોત થયા હતા.</p> <p>આજે દેશમાં સતત 22માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 3 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 41 લાખ 9 હજાર 448 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 28 લાખ 75 હજાર લોકોને રસી આપવામાં આવી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 35 કરોડ 74 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20.75 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.</p> <p><strong>દેશમાં આજે કોરોનાની સ્થિતિ</strong></p> <p>કુલ કોરોના કેસ - બે કરોડ 85 લાખ 74 હજાર 350</p> <p>કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 65 લાખ 97 હજાર 655</p> <p>કુલ એક્ટિવ કેસ - 16 લાખ 35 હજાર 993</p> <p>કુલ મોત - 3 લાખ 40 હજાર 702</p> <p>દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 6 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.</p> <p><strong>ગુજરાતમાં કોરોના કેસ</strong></p> <p>રાજ્યમાં ગઈકાલે 1,207 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે.</p> <p>રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78 ટકા છે. </p>
from india https://ift.tt/3fN3dRC
from india https://ift.tt/3fN3dRC
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો