મુખ્ય સામગ્રી પર જાઓ

IT મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કેમ રહ્યું બંધ? સંસદીય સમિતિએ Twitter પાસે બે દિવસથી અંદર માંગ્યો જવાબ

<p>નવી દિલ્હીઃ નવા આઇટી કાયદાઓને લઇને&nbsp; કેન્દ્ર સરકાર અને ટ્વિટરમાં ટકરાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રીતે બંધ કરવા મામલે ટ્વિટરને નોટિસ મોકલી છે. સમિતિએ ટ્વિટને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. આ સમિતિના અધ્યક્ષ કોગ્રેસ નેતા શશિ થરૂર છે.[tw]https://twitter.com/ANI/status/1409872746667036682[/tw]</p> <p>વાસ્તવમાં 25 જૂનના રોજ રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટને લગભગ એક કલાક સુધી બંધ રાખવાની જાણકારી આપી હતી. બાદમાં શશિ થરૂરે&nbsp; પણ આ પ્રકારની ફરિયાદ કરી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ટ્વિટરે અમેરિકાના&nbsp; ડિઝિટલ મિલેનિયમ કોપીરાઇટ અધિનિયમનો કથિત ભંગના આધાર પર લગભગ એક કલાક સુધી મારુ એકાઉન્ટ બંધ કર્યું અને બાદમાં તેમણે&nbsp; મારા એકાઉન્ટના ઉપયોગની મંજૂરી આપી હતી.[tw]https://twitter.com/ANI/status/1409880148111994882[/tw]</p> <p>પ્રસાદે કહ્યું હતું કે&nbsp; ટ્વિટરના આ પગલું આઇટી નિયમોનો ભંગ છે કારણ કે તે એકાઉન્ટ પર રોક લગાવતા અગાઉ નોટિસ આપવામાં નિષ્ફળ રહી છે. એવું લાગે છે કે ટ્વિટરની નિરંકુશ મનમાની કાર્યવાહીઓને લઇને મે જે ટીકા કરી હતી અને ખાસ કરીને ટીવી ચેનલો પર આપવામાં આવતા ઇન્ટરવ્યૂના હિસ્સાઓને જે શેર કરવામાં આવે છે તેના પ્રભાવથી સ્પષ્ટ રીતે ગુસ્સો સામે આવ્યો છે. પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને નવા આઇટી કાયદાઓનું પુરી રીતે પાલન કરવું પડશે. બાદમાં શશિ થરૂરે કહ્યું હતું કે, રવિ જી મારી સાથે પણ આવું થયું છે. સ્પષ્ટ રીતે ડીએમસીએ અતિ સક્રીય થઇ રહ્યું છે.</p> <p>ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) ફેસબુક અને ગુગલ (Facebook &amp; Google)ને નવા આઇટી નિયમો અને ભારતના કાયદાનું પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા. ફેસબુક અને ગુગલના વરિષ્ઠ અધિકારીઓ મંગળવારે સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયા હતા, જેમાં 'નાગરિકોના અધિકારની સુરક્ષા અને ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂપયોગને રોકવા માટેના પોતાના મત રજૂ કર્યા હતા. સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસના નેતા ડો.શશી થરૂરે કરી હતી. મહત્વનું છે કે નવા આઇટી નિયમોને લઇને સંસદીય સમિતિએ ફેસબુક અને ગુગલના અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું.</p> <p>સમિતિના સભ્યોએ ફેસબુક પર વ્યક્તિગત ડેટા અને મહિલાઓની સલામતીના મુદ્દા ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ ફેસબુકના અધિકારીઓને ડેટા લીક અને મહિલાઓની સુરક્ષા મામલે પૂછપરછ કરી હતી. ફેસબુક ઇન્ડિયાના અધિકારીઓએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના દુરુપયોગ મામલે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.</p>

from india https://ift.tt/3hkBJCq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

<p>ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.&nbsp;</p> <p><strong>અમેરિકા પહેલા નંબરેઃ</strong><br />ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને &nbsp;વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.&nbsp;</p> <p><strong>રશિયા કયા નંબર પર?</strong><br />અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા...