મુખ્ય સામગ્રી પર જાઓ

IT મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કેમ રહ્યું બંધ? સંસદીય સમિતિએ Twitter પાસે બે દિવસથી અંદર માંગ્યો જવાબ

<p>નવી દિલ્હીઃ નવા આઇટી કાયદાઓને લઇને&nbsp; કેન્દ્ર સરકાર અને ટ્વિટરમાં ટકરાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ અને કોગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રીતે બંધ કરવા મામલે ટ્વિટરને નોટિસ મોકલી છે. સમિતિએ ટ્વિટને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. આ સમિતિના અધ્યક્ષ કોગ્રેસ નેતા શશિ થરૂર છે.[tw]https://twitter.com/ANI/status/1409872746667036682[/tw]</p> <p>વાસ્તવમાં 25 જૂનના રોજ રવિશંકર પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટને લગભગ એક કલાક સુધી બંધ રાખવાની જાણકારી આપી હતી. બાદમાં શશિ થરૂરે&nbsp; પણ આ પ્રકારની ફરિયાદ કરી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ટ્વિટરે અમેરિકાના&nbsp; ડિઝિટલ મિલેનિયમ કોપીરાઇટ અધિનિયમનો કથિત ભંગના આધાર પર લગભગ એક કલાક સુધી મારુ એકાઉન્ટ બંધ કર્યું અને બાદમાં તેમણે&nbsp; મારા એકાઉન્ટના ઉપયોગની મંજૂરી આપી હતી.[tw]https://twitter.com/ANI/status/1409880148111994882[/tw]</p> <p>પ્રસાદે કહ્યું હતું કે&nbsp; ટ્વિટરના આ પગલું આઇટી નિયમોનો ભંગ છે કારણ કે તે એકાઉન્ટ પર રોક લગાવતા અગાઉ નોટિસ આપવામાં નિષ્ફળ રહી છે. એવું લાગે છે કે ટ્વિટરની નિરંકુશ મનમાની કાર્યવાહીઓને લઇને મે જે ટીકા કરી હતી અને ખાસ કરીને ટીવી ચેનલો પર આપવામાં આવતા ઇન્ટરવ્યૂના હિસ્સાઓને જે શેર કરવામાં આવે છે તેના પ્રભાવથી સ્પષ્ટ રીતે ગુસ્સો સામે આવ્યો છે. પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને નવા આઇટી કાયદાઓનું પુરી રીતે પાલન કરવું પડશે. બાદમાં શશિ થરૂરે કહ્યું હતું કે, રવિ જી મારી સાથે પણ આવું થયું છે. સ્પષ્ટ રીતે ડીએમસીએ અતિ સક્રીય થઇ રહ્યું છે.</p> <p>ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee on Information Technology) ફેસબુક અને ગુગલ (Facebook &amp; Google)ને નવા આઇટી નિયમો અને ભારતના કાયદાનું પાલન કરવાના નિર્દેશ આપ્યા હતા. ફેસબુક અને ગુગલના વરિષ્ઠ અધિકારીઓ મંગળવારે સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયા હતા, જેમાં 'નાગરિકોના અધિકારની સુરક્ષા અને ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂપયોગને રોકવા માટેના પોતાના મત રજૂ કર્યા હતા. સમિતિની અધ્યક્ષતા કોંગ્રેસના નેતા ડો.શશી થરૂરે કરી હતી. મહત્વનું છે કે નવા આઇટી નિયમોને લઇને સંસદીય સમિતિએ ફેસબુક અને ગુગલના અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું.</p> <p>સમિતિના સભ્યોએ ફેસબુક પર વ્યક્તિગત ડેટા અને મહિલાઓની સલામતીના મુદ્દા ઉઠાવ્યા હતા. સમિતિના સભ્યોએ ફેસબુકના અધિકારીઓને ડેટા લીક અને મહિલાઓની સુરક્ષા મામલે પૂછપરછ કરી હતી. ફેસબુક ઇન્ડિયાના અધિકારીઓએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના દુરુપયોગ મામલે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.</p>

from india https://ift.tt/3hkBJCq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...