મુખ્ય સામગ્રી પર જાઓ

Jamnagar : ધોળા દિવસે શિક્ષિકાની હત્યા થઈ જતાં ખળભળાટ, હત્યારાનું નામ જાણીને ચોંકી જશો?

<p><strong>જામનગરઃ</strong> શહેરમાં ધોળા દિવસે શિક્ષિકાની ખૂદ પતિએ જ હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષિકા સ્કૂલે જઈ રહી હતી, તે સમયે રસ્તા પર જ પતિએ તેને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. ખુલ્લેઆમ શિક્ષિકાની હત્યાને પગલે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.&nbsp;</p> <p>મહા પ્રભુજી બેઠક પાસે રોડ પર જાહેરમાં નીતાબેન ડાભી નામની શિક્ષિકાની હત્યા કરવામાં આવી છે. સ્કૂલ જતા સમયે તેમના પતી દ્વારા જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. પતિ પ્રફુલ્લ ડાભીએ જ કરી પત્નીની હત્યા કરી છે. અવાર નવાર પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને કારણે હત્યા કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને શિક્ષિકાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.&nbsp;</p> <p>મૃતક શિક્ષિકાના ભાઈએ જણાવ્યું હતું કે, તેમની બહેન અને બનેવી વચ્ચે છેલ્લા 8 વર્ષથી ઝઘડા થઈ રહ્યા હતા. લગ્ન પછી બનેવી કોઈ કામ ધંધો કરતો નહોતો અને બહેન પાસે વારંવાર પૈસા માંગતો હતો. તેમજ લોન લઇને પૈસા વેડફી નાંખતો હતો. જેને કારણે બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હતા. આ બધુ સહન ન થતાં 10 દિવસથી બહેન પિયર આવી ગઈ હતી. ત્યારે આજે બનેવીએ મારી બહેનની હત્યા કરી નાંખી છે. તેમને 21 વર્ષની દીકરી છે.&nbsp;<br /><br /></p> <p><strong>Mehsana : કોરોનામાં &nbsp;મોત થયું હોવાનું કહીને પુત્રે પિતાની લાશ કરી નાંખી સગેવગે, પછી શું થયો મોટો ધડાકો? જાણીને લાગી જશે આંચકો</strong></p> <p>મહેસાણાઃ &nbsp;કડીના કણઝરી ગામે પુત્રોએ &nbsp;પિતાની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. &nbsp;અમદાવાદમાં મકાન ખરીદવા નાણાંના ઝગડામાં બે પુત્રોએ પિતાની હત્યા કરી નાંખી હતી. પોતાનાં પિતાનું કોરોનાથી મોત થયું હોવાનું લોકોને કહી લાશને સગેવગે કરી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનાર પુત્રોની ધરપકડ કરી હતી.&nbsp;</p> <p>આ અંગેની વિગતો એવી છે કે, કડીના ભાલઠી ગામના હુસેનભાઈ કાસમભાઈ મલેક છેલ્લા 10 માસથી તેમની સાસરી કણજરી ખાતે બે પુત્રો સમીર અને સફિર સાથે રહે છે. પુત્ર સમીરે અમદાવાદમાં નવું મકાન બૂક કરાવ્યું હોવાથી પિતાને ભાલઠીવાળું મકાન વેચી દેવા કહ્યું હતું. આ બાબતે 10 દિવસથી પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી. ગત 29 મેએ રાત્રે હુસેનભાઈએ કડીમાં રહેતા નાનાભાઈ સાબીરને ફોન કર્યો હતો. તેમજ પુત્ર સમીર ભાલઠીનું મકાન વેચવાનું કહે છે તેમ કહી પુત્રને ન વેચવા સમજાવવા કહ્યું હતું.&nbsp;</p> <p><br />દરમીયાન, ગત 2 જૂને રાત્રે 2 વાગે સમીરે તેના કાકા સબીરભાઈને ફોન કરી તેના પપ્પા હુસેનભાઈનું કોરોનામાં નિધન થયું હોવાનું ઝણાવ્યું હતું. આથી સાબિરભાઈ અને અન્ય પરિવારના સભ્યો બીજા દિવસે કણજરી આવ્યા હતા. તેમને સમીર પર શંકા જતાં હુસેનભાઈની કોરોના રિપોર્ટની ફાઇલ માંગી અને ક્યાં દફનાવ્યા તેની પહોંચ માંગી હતી. આથી ભત્રીજા સમીરે ફાઇલ મિત્ર વિશાલ પાસે હોવાનું જણાવ્યું હતું. સબીરભાઈને શંકા જતાં વધુ પૂછતાં તેણે રિપોર્ટ અને ફાઇલ માટે કાલે આવજો. બીજી તરફ સમીરે બેસણું અને વિધિ પતાવી દીધી હતી.&nbsp;</p> <p>બીજા દિવસે સમીરે કાકા સબીરભાઈ અને કુટુંબીઓને પંથોડા ફાઇલ પડી હોવાનું જણાવી ત્યાં લઈ ગયો હતો. જોકે, સબીરભાઈએ કડકાઇથી પૂછપરછ કરતાં તેણે સાચી હકિકત જણાવી દીધી હતી. બંને ભાઈઓએ પિતા હુસેનભાઈને મારી નાખ્યાનું કબૂલ્યું હતું. તેમણે કહ્યું કે, અમે નવું મકાન અમદાવાદમાં રાખેલું છે અને તેના પૈસા ભરવાના હતા અને પિતા આપતા નહોતા. ભાલઠીનું મકાન વેચવા કહ્યું પણ માનતા ન હતા. 31 મેની રાત્રે પિતા આંગણામાં સૂતા હતા ત્યારે માથામાં ઊંધું ધારિયું મારી ગળું દબાવી મારી નાખ્યા હતા, તેમજ લાશ રાત્રે જ બાઇક ઉપર લઇ થોળથી સેડફા ગામથી રડાર જવાના રસ્તે જેસીબીથી ખોદેલા ખાડામાં દાટી દીધી હતી.&nbsp;</p> <p>આમ, બંને ભાઈઓએ હત્યા કરી હોવાનું કબૂલતા સાબીરભાઇએ બાવલુ પોલીસને જાણ કરતાં રવિવારે બાવલુ પીએસઆઈ એ.એન. દેસાઈએ ઘટના સ્થળે જઇ લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલી આપી હતી. તેમજ સમીર હુસેનભાઈ મલેક અને સફિર હુસેનભાઈ મલેકની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.</p>

from gujarat https://ift.tt/34VYLK0

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...